SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] કાર્યસાધક કારણુસમાજ, ૧૯૦૫ આપી ન શકાય તેવા આનંદ ભાગવતા રહ્યો તે સર્વ પણ કર્મપરિણામ વિગેરે ચાર મહામનુષ્યોની પ્રેરણાથી એ પુણ્યોદયે જ કર્યું?” નિર્મળાચાર્ય—“ રાજન ! હા ! તે સર્વ કાર્ય તે પુણ્યાદયે જ કરી આપ્યું અને એટલું જ કામ પુણ્યાયે તારે માટે કરી આપ્યું છે એમ નથી, અગાઉ પણ તારા સંબંધમાં એણે ઘણાં સારાં કામે કરી બતાવ્યાં છે અને તને સુખ આપ્યું છે: જો સાંભળજે વખતે તું નંદિવર્ધન હતા તે વખતે એ પુણ્યોદયે તને કનકમંજરી સાથે સંબંધ કરાવી આપ્યા હતા; જે વખતે તું રિપુઠ્ઠારણ હતા તે વખતે તેણે નરસુંદરી સાથે તારો સંબંધ કરાવી આપ્યો હતેા; જ્યારે તું વામદેવ હતા તે વખતે તને વિમળકુમાર જે સદ્ગુણાથી તદ્દન નિર્મળ હતેા અને તારા ઉપર કોઇ પણ પ્રકારના બદલાની આશા વગર સાચા એહ રાખતા હતા તેની સાથે મૈત્રી કરાવી આપી હતી; જ્યારે તું ધનશેખર હતા તે વખતે તેણે તને અનેક પ્રકારનાં રત્નો મેળવી આપ્યાં હતાં; અને જ્યારે તું ઘનવાહન હતેા તે વખતે કોઇ પણ પ્રકારના કપટ વગર સર્વ પ્રકારના કલંક–મટ્ટા-એમથી રહિત અકલંકને તારા ઉપર ઉગ્ર પ્રેમ કરાવી આપ્યા હતા. તને એણે મહાન રાજ્ય અનેક વાર અપાવ્યું હતું અને સર્વ સ્થાનકે અનેક પ્રકારની સુખસગવડો કરાવી આપી હતી. વાત એમ બની કે એ કોઇ પણ જગ્યાએ પુણ્યાદયની ખરી શક્તિનેા તને જરા પણ ખ્યાલ થયા નહિ, તેની કિમત તને આવી નહિ, તેં એને ખરાખર આળખ્યા નહિ, અને ઉલટી રીતે ૧ નંદિવર્ધનઃ ત્રીન પ્રસ્તાવનો મુખ્ય પાત્ર. સર્વત્ર સંસારીજીવપણે એ સામાન્ય છે. જૂદા જૂદા ભવમાં જૂÈ જૂદે નામે એ પ્રગટ થાય છે તે આપણે અગાઉ જોઇ ગયા છીએ. કનકમંજરી એની ભાર્યા થાય. ૨ રિપુદારણ: ચેાથા પ્રસ્તાવના આપણેા મુખ્ય પાત્ર સંસારીજીવ. નર્« સુંદરી એની પત્ની થાય. ૩ વામદેવઃ પાંચમા પ્રસ્તાવને સંસારીજીવપાત્ર, વિમળમાર એને મિત્ર થાય. ૪ ધનશેખરઃ છઠ્ઠા પ્રસ્તાવના મુખ્ય પાત્ર સંસારીજીવ. એને ત્યાં રનદ્વીપમાંથી બહુ તો મળે છે. ૫ ઘનવાહનઃ સાતમા પ્રસ્તાવને આપણેા મુખ્ય પાત્ર સંસારીજીવ. પ્રધાનપુત્ર અકલંક સાથે એને ગાઢ મૈત્રી હતી તે આપણે ગયા પ્રસ્તાવમાં વાંચી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy