SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૦૩ કાર્ય તે પેલા ચાર મહાપુરૂષો જ કરે છે-આવા વિચારને પરિણામે થયેલી માન્યતાને આધારે એ પુણ્યદયમિત્રે કનકે દર રાજાને સ્વમામાં ચાર મનુષ્યો બતાવ્યાં. એ ચાર મનુષ્ય તે (૧) કર્મપરિણામ (૨) કાળપરિણતિ (૩) સ્વભાવ અને (૪) ભવિતવ્યતા હતાં. પુણ્યોદયે કનકેદરરાજને તે ચાર મનુષ્ય દ્વારા સ્વપ્રમાં જણાવ્યું કે તેઓએ મદનમંજરી માટે વર શોધી રાખ્યો છે માટે રાજાએ વરશોધનની ચિંતા કરવી નહિ. આ પ્રમાણે એ ચાર મનુષ્યોએ સ્વમમાં કનકેદાર રાજાને હકીકત જણાવી એ સર્વ પુણ્યદયમિત્રનું કાર્યરૂપે દર્શન જ હતું. વળી સર્વ વિદ્યાધરે ઉપર મદનમંજરીને વિરાગ થયો, કેઈ વિદ્યાધરને તે વરી નહિ અને સ્વયંવરમાં પણ તેણે સર્વને તરછોડી નાખ્યા તે સર્વ બાબત કરાવી આપનાર એ તારે પુણ્યોદય મિત્ર હતા, છતાં એના વિશાળ હૃદય અને મહાનુભાવપણને અંગે એ સર્વ હકીકત કમપરિણામરાજાએ કરી છે એમ સ્વસમાં તેમને જ હોઢે પુદયે જણાવી. આ પ્રમાણે હકીકત બની હતી એ વાત જ્યારે કર્મપરિણામના જાણવામાં આવી ત્યારે તેણે જાતે પુણ્યદયને કહ્યું “ભાઈ પૃદય ! ગુણધારણને સર્વ પ્રકારનું સુખ તે તે કરી આપ્યું છે છતાં તારી જાતને તે બાબતનું ભાન ન આપતાં તે એના કર્તા તરીકે અને મને ચારને અણુવ્યા છે તે વાજબી નથી કર્યું !” પુણ્યોદયે જવાબમાં કહ્યું “દેવ! પ્રભુ ! આપ એ પ્રમાણે બેલે નહિ, હું તે આપના હુકમને ઉઠાવનાર નોકરમાત્ર છું, એ સર્વ બાબતને બજાવનારા તત્ત્વદૃષ્ટિએ જોતાં ખરેખર તે તમે જ છે અને એજ સાચી પરમાર્થે સત્ય હકીકત મેં કનકેદર રાજાને સ્વમમાં બતાવી છે, તેમાં મેં અનુચિતગેરવાજબી શું કર્યું છે?' કર્મપરિણામરાજા શાંતિપૂર્વક બોલ્યા “આર્ય! તું કહે છે તે વાત સાચી છે, છતાં ગુણધારણને સુખ થવાની અને મદનમંજરી મળવાની બાબતને પરમ હેતુ તો તું જ છે, કારણ કે તારા વગર સારા કાર્યો કે સુખનાં સાધનો કરી આપવાને અમે બીલકુલ શક્તિમાન નથી, માટે તારે પણ તારી જાતને જાહેર તે કરવી જ જોઈએ. જ્યાં સુધી તું એમ કરે ત્યાં સુધી મારા હૃદયમાં શાંતિ નહીં થાય.” પુણ્યોદયે વડીલનો હુકમ માથે ચઢાવ્યો. પછી કુલંધરને સ્વમમાં પાંચ મનુષ્ય બતાવ્યાં તેમાં ચાર તો એ અસલ હતા તે જ કર્મપરિણામ, કાળપરિણુતિ, સ્વભાવ અને ભવિતવ્યતા બતાવ્યાં અને પુણ્યોદયે પિ ૧ જુઓ , ૮, પ્ર. ૩ પૃ. ૧૮૬૬. ૨ જુઓ પૃ. ૧૮૬૪. ૩ જુએ પ્રકરણ ૪ શું પૃષ્ઠ ૧૮૮૪ (ચાલુ પ્રસ્તાવ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy