SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ લાયક છે. તેમણે મને જણાવ્યું કે “ રાજન્! એવી રીતે તારી ચિત્તવૃત્તિમાં અનેક નગર અને ગામાથી ભરપૂર એક મોટું અંતરંગ રાજ્ય છે. એ અંતરંગ રાજ્યને અંગે અત્યાર સુધીમાં બહુ મેઢી ખટપટ થયેલી છેઃ એ રાજ્યમાં તારૂં હિત કરવાના સ્વભાવવાળા ચારિત્રધર્મ વિગેરે રાજાએ છે તેને મારી હટાવી અને તને પેાતાને પણ રાજ્યમાંથી બહાર ધકેલી કાઢી એના ઉપર મહામેાહુ વિગેરે રાજાઓ ધણીધોરી થઇ બેઠા હતા અને જાણે એ અંતરંગ રાજ્ય તેનું પા તાનું જ હાય એમ વર્તતા હતા. વળી કમનસીબે હકીકત એમ બની કે પેલા કમપરિણામ મહારાજા પણ અત્યાર સુધી તારી વિરૂદ્ધ રહીને તારાથી પ્રતિકૂળપણે કામ કરતા રહ્યો અને એ મહામેાહરાજાના લરકરને પાષણ આપતા રહ્યો. હમણા હમણા ઘેાડા વખતથી એ કર્મપરિણામ મહારાજાતને અનુકૂળપણે વર્તતા જણાય છે. વળી એ કર્મપરિણામ મહારાજાએ તને અનુકૂળ થવા માંડ્યા પછી પોતાની સ્ત્રી કાળપરિણતિ મહાદેવીને તારી સન્મુખ કરી છે, તારી પેાતાની શ્રી ભવિતવ્યતાને બહુ રાજી કરી છે, પેાતાના ખાસ મદદનીશ અને હજુરીઆ સ્વભાવને તારી પાસે બેાલાવ્યા છે, પેાતાના સહચર પુકૈાદયને ઉત્સાહ આપ્યા છે અને વળી એ ઉપરાંત એ મહારાજાએ પેલા મહામેાહ વિગેરેના તિરસ્કાર કરીને તેને કાંઇક દૂર કાઢ્યાં છે, ચારિત્રધર્મ વિગેરે રાજાને આશ્વાસન આપ્યું છે અને અત્યાર પહેલાં ઘણાં સુખના માર્ગ તને બતાવ્યો છે. કર્મપરિણામરાજાની આ પ્રમાણે અનુકૂળતા થયા પછી તને સદાગમ સાથે સ્નેહ થયા, સમ્યગ્દર્શન નામના સેનાપતિ તને વહાલા થયા અને એ સદાગમ અને સમ્યગ્ દર્શન સાથેના તારા એહને પરિણામે મહારાજા કર્મપરિણામ તારી તરફ વધારે અનુકૂળ થતા ગયા. ત્યાર પછી જ્યારે તું વિષુધાલય (દેવલેાક)માં ગયા ત્યારે તે મહારાજ પેાતાના આખા પરિવાર સાથે તને વધારે અનુકૂળ થયો અને તેણે તને ત્યાં ઘણું સુખ નિયમસર લાંબા વખત સુધી આપ્યું. ત્યાર પછી તું મધુવારણ રાન્તને ઘરે આવ્યા ત્યારે વળી તને વધારે સુખ આપવા સારૂ તે મહારાજએ તારા મિત્ર પુણ્યાદયને ખાસ ઉત્સાહ આપ્યા, પ્રેરણા કરી અને જુસ્સા આપ્યા. પછી એ તારા ખાસ મિત્ર પુણ્યોદયે મદનમંજરીને તારા બહિરંગ રાજ્યની પત્ની તરીકે મેળવી આપી. એ પુણ્યાય ઘણા ઉમદા ખવાસના મા ણુસ છે, બહુ ઉત્તમ પ્રકૃતિના છે, મનમાં આવે તેવાં રૂપ ધારણ કરી શકનારા છે. તેણે એક વખત વિચાર કર્યો કે આવી સર્વ સુખપરંપા તને પ્રાપ્ત કરાવી આપી એમાં પાતે તે કોણ માત્ર છે? એ સફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy