SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સૂરિ આગમન સમાચારથી આનંદ, સમાચાર આપનારને મેાટું ઇનામ, સૂરિ દર્શને રાજા, વિધિપૂર્વક વંદન. દાસનું આ વચન સાંભળી મને વર્ણવી ન શકાય તેટલા આનંદ થયા, એના કલ્લોલથી હું જાણે મારા શરીરમાં સમાતો ન હેા, મારા રાજમંદિરમાં સમાતા ન હેા, મારા નગરમાં સમાતા ન હેાઉં, અરે આખા ત્રણ જગતમાં સમાઇ શકતા ન હાઉ તેમ હર્ષથી વધવા લાગ્યો. મારા મનમાં આનંદ આનંદ થઇ રહ્યો. આવા સુંદર સમાચાર આપનાર એ મારા સેવકને એક લાખ સેાના મહાર અને મારા શરીર પરનાં સર્વ આભૂષણા ઇનામમાં આપી દીધાં અને તેને રાજી કરી વિદાય કર્યો. પછી ૧૮૯૬ અત્યંત આદરપૂર્વક મારા મિત્ર કુલંધરને અને ભાર્યાં મદનમંજરીને સાથે લઇને સૂરિમહારાજને વંદન કરવા સારૂં હું નગર બહાર તુરત નીકળ્યો. [ પ્રસ્તાવ ૮ સુંદર સોનાથી ઝગઝગાયમાન થઇ રહેલા દેવતાઓએ અનાવેલા એક અતિ સુંદર કમળ ઉપર બેઠેલા એ સૂરિમહારાજને મેં જોયા. વળી તે મહાત્મા મહાભાગ્યવાન સૂરિમહારાજની આજુબાજુ અનેક મુનિઓ, અનેક દેવા, અનેક દાનવા અને અનેક વિદ્યાધરા મર્યાદા પૂર્વક બેઠા છે, સર્વનાં મસ્તક નમી રહ્યાં છે અને તે સર્વને કેવળી ભગત્યંત સુંદર ધર્મદેશના આપી રહ્યાં છે-એ પ્રમાણે મેં દીઠું. સૂરિમહારાજના દૂરથી દર્શન થતાં અત્યંત આનંદથી મને આખે શરીરે રોમાંચ વિકસ્વર થઇ આવ્યાં, મારી સાથે બીજા નાના પટાવત રાજાએ હતા તેમણે અને મેં અત્યંત ભક્તિપૂર્વક રાજ્યનાં પાંચ ચિહ્નો છેડી દીધાં: એટલે અમે છત્ર, તરવાર, મુગટપરનું મેડિયું, વાહન અને ચામરને મૂકી દીધાં, ઉત્તરાસંગર ધારણ કર્યું અને સૂરિમહારાજના ૧ પાંચ રાજ્યચિહ્નઃ શ્રીદેવવંદન ભાષ્યમાં દેવવંદન પ્રસંગે પાંચ ચિહ્નો વજ્જૈ વાની વાત કરી છે ત્યાં વાહનને સ્થાને ઉપાનહ કહેલ છે. ( જીએ દેવવંદન ભાષ્ય ગાથા ૨૧ મી ) દેવ કે ગુરૂ પાસે જાય ત્યારે રાજાના આચાર છે કે એણે રાજ્યચિહ્નો તજી દેવાં જોઇએ. પાંચ અભિગમ જાળવવાના પ્રસંગે આ વાત કરી છે અને વિવેકસરની તે વાત લાગે છે. એમાં મુગટ સંબંધી જરા ખુલાસા કરવા યોગ્ય છે. મુગટ ઉતારી રાજ ઉધાડે માથે જતાં હેાય એમ લાગતું નથી, પણ મુગટની ઉપર મેાડિયું હોય છે તે ઉતારી નાખે છે. ખરૂં રાજ્યચિહ્ન એ મેડિયું છે. ૨ ઉત્તરાસંગઃ એકપટું વસ્ત્ર લઇ આખા વસ્ત્રને ડાભા ખભા પર વીંટાળવું [ ચાલુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy