SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૯૫ એવી રીતે મને રાજ્ય પ્રાપ્ત થયું, આખું રાજ્યમંડળ મારૂં પ્રેમી થયું, મારા શત્રુએ સર્વ મારા દાસ થઇ ગયા અને વિદ્યાધરો મારે વશ થયા. વાત એટલે સુધી થઇ કે દેવતાઓ પણ માથું નમાવીને મારી આજ્ઞામાં વર્તવા લાગ્યા અને મારા ખજાના અને મારી આજ્ઞા તેમજ મારી સંપતિએ સર્વ પ્રકારે વધતી ચાલી. એક પણ વખત મારે ધનુષ્યને વાળવું ન પડ્યું, એક પણ વખત આંખાને ક્રોધથી લાલ કરવી ન પડી, છતાં પણ મારૂં રાજ્ય નિષ્કંટક થઇ ગયું. આવી રીતે અત્યંત સુખસમૂહનાં કારણે પ્રાપ્ત થયાં છતાં પણ મારૂં મન એમાં જરા પણુ આકુળ થયું નહિ, એમાં જરા પણ આસક્ત થયું નહિ, એમાં જરા પણ રાચ્યું માગ્યું નહિ, હું તો દાગમમાં અહોનિશ ઉદ્યોગ કરવા લાગ્યા, સમ્યગ્દર્શન તરફ નિરંતર તૈયાર રહેવા લાગ્યો, પુણ્યોદયને સાથે રાખીને ગૃહિધર્મમિત્રને આદર વખતેવખત કરવા લાગ્યા અને સાત રાજા મને વારંવાર આહ્લાદ કરતા ગયા. એવી રીતે પત્ની મદનમંજરી અને મિત્ર કુલધર સાથે ઉપરના ઉદ્યમ અને તત્પુરતા દાખવતાં દેવે જેમ સ્વર્ગમાં સુખ ભોગવે તેમ મેં અનેક સુખા અનુભવ્યાં. આનંદસાગરસામ્રાજ્યમાં ડૂબકી મારતાં મારા ઘણા કાળ પસાર થઇ ગયો. પ્રકરણ ૫ મું. નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ' એક દિવસ કલ્યાણ નામના મારા સેવક મારી પાસે આવ્યા, મને નમ્યો અને પછી વિનયપૂર્વક ખેલ્યા દેવ! નમ્યો દેવ અને દાનવાથી પૂજિત આચૈત્ય મહિમાવાળા મહાભાગ્ય નિર્મળ નામના આચાર્યમહારાજા આહ્લાદમંદિર ઉદ્યાનમાં પધાર્યાં છે અને તે બાબતના સમાચાર આપશ્રીને કહેવા હું અત્ર હાજર થયાછું. ૧ આ કલ્યાણ મિત્રા (ધર્મના ) યોગ સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy