SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] નિમૅળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૯૭ ‘અવગ્રહમાં હું દાખલ થયા. મારી સાથે આવેલાં સર્વ પણ અવગ્રહમાં આવ્યા. પછી મેં વિધિપૂર્વક સૂરિમહારાજને દ્વાદશાવર્ત્ત વંદન કર્યું અને યોગ્ય ક્રમ પ્રમાણે બીજા મુનિઓને મેં વંદના કરી. કેવળી મહારાજ અને સાધુઓ પાસેથી ધર્મલાભ ના આશિર્વાદ મેળવીને વળી ફરીવાર જમણેા હાથ ઉધાડી રાખવા તેને ઉત્તરાસંગ કરવું કહેવાય છે. પાંચ અભિગમમાં એ ચેાથું અભિગમ છે. આ પ્રસંગે પાંચ અભિગમનાં નામ જણાવી દેવા પ્રાસંગિક છે. તે નીચે પ્રમાણે છેઃ— ૧ મંદિરે જતાં સચિત્ત દ્રવ્ય હોય તેના ત્યાગ કરવા. ૨ મંદિરે જતાં પૈસા વસ્ત્રાદિ અચિત્ત દ્રવ્ય હેાય તે પાસે રાખવાની અનુજ્ઞા. ૩ મંદિરે જતાં ચિત્તની એકાગ્રતા કરવી, ખીજા વ્યાપારમાં પડી જવું નહિ. ૪ એક સાડી ઉત્તરાસંગ કરવું. ૫ જીનેશ્વરને દૂરથી જોતાં બે હાથ જોડી મસ્તકે લગાડવા-અંજલિબ‚ પ્રણામ કરવા. ૧ અવગ્રહઃ હદ. એ પ્રકારના હેાય છેઃ સાડા ત્રણ હાથ અને તેર હાથ. સ્વપક્ષ અને પરપક્ષને અંગે આ વિભાગ છે. સાધુ સાધુમાં અને સાધુ શ્રાવકને એક પક્ષ છે, સાધ્વી સાધ્વીમાં અને સાધ્વી શ્રાવિકાને બીજો પક્ષ છે. અંદર અંદર એ સ્વપક્ષ છે અને એક ખીજાની અપેક્ષાએ પરપક્ષ છે. સ્વપક્ષના અવગ્રહ સાડા ત્રણ હાથના છે, પરપક્ષના અવગ્રહ તેર હાથનેા છે. સાધુ પાસે શ્રાવક જાય તે તેણે સાડા ત્રણ હાથ દૂર રહી વંદન કરવું, રત્ન મળે તે અંદર જવું, શ્રાવિકા સાધુ પાસે જાય તે તેર હાથ દૂર રહેવું. આવી રીતે શ્રાવક સાધ્વી પાસે જાય તા તેને પણ તેર હાથના અવગ્રહ છે. ( જીએ ગુરૂવંદન ભાષ્ય, ગાથા ૩૧ ). ૨ દ્વાદશાવતું વંદનઃ દ્વાદશાવર્ત વંદન સર્વથી ઉત્કૃષ્ટ વંદન ગણાય છે. એ વેંદન આચાર્ય ઉપાધ્યાય વિગેરે પપ્રતિષ્ટિતને હાયછે. એ વંદન કરતાં પચ્ચીશ આવશ્યક જાળવવાનાં છે, શરીરન્યાપારને બહુ ચોક્કસ રીતે નિયમિત કરવાને છે, ત્રણ ગુપ્તિ જાળવવાની છે, એ વાર અંદર પ્રવેશ કરવાના છે અને એક વાર બહાર નીકળવાનું છે, ગુરૂમહારાજને અમુક છે સવાલે પૂછવાના છે અને તેના ગુરૂમહારાજ પાસેથી ઉત્તર મેળવવાના છે. એકંદર ોઇએ તેા મેટી વિધિથી ગુરૂવંદન કરવાનું છે. એને આખા વિસ્તાર શ્રીગુરૂવંદન ભાષ્યમાં કરેલેા છે, તે બહુ વિચાર કરીને સમજવા યાગ્ય છે. એની વ્યવસ્થામાં વપરાયેલ દીર્ઘદૃષ્ટિના ખરા ખ્યાલ આવે તેવી તે મામત છે. ૩ યોગ્યક્રમઃ શાસ્રમર્યાદા વિચારવા યાગ્ય છે. પદસ્થ સિવાય દીક્ષાપર્યાય પ્રમાણે વંદન કરવાનું હેાય છે, વધારે સમય દીક્ષામાં ગાળેલ હેાય તેને પ્રથમ વંદન કરવાનું હેાય છે. નાના મેઢા સર્વ સાધુને સાવીએ નમવાના ક્રમ છે. આ જના દીક્ષિત સાધુને વર્ષો પહેલા દીક્ષા લેનાર સાધ્વીએ નમવું જ જોઇએ એવી આજ્ઞા છે. લઘુ વડીલ ક્રમ જાળવવામાં ગુણધારણે વિવેક વાપર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy