SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ ] કંદમુનિ, રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થધર્મ. ૧૮૯૧ “ “ વળી હાલમાં એ ગુણધારણ મારી વધારે પાસે આવતા જાય છે તે આ કુમારશ્રીને તેની પાસે જવાની વિશેષ અનુકૂળતા થશે. માટે મારી સલાહ પ્રમાણે તે કુમારશ્રી ગૃહિધર્મે હાલ તેની પાસે જાય, “ તેને પોતાના ગુણાથી વિશેષ રાજી કરે અને જ્યારે એને રંજનતા “ થઇ જશે ત્યારે મારે અને મારા જેવા ખીજાએ પણ ત્યાં જવાને “ વખત આવી લાગશે. “ ። “ વળી એક બીજી હકીકત પણ વિચારવા જેવી છે અને તે એ “ છે કે અત્યારે કુમારશ્રી નૃદ્ધિધર્મ ત્યાં જશે તેા મહામેાહ વિગેરે આ“ પણા શત્રુઓને વધારે ત્રાસનું કારણ જરૂર થઇ પડશે અને ચિત્તવૃત્તિ અટવી વધારે વિશુદ્ધ થશે. આ શૃદ્ધિધર્મ કુમારશ્રી ત્યાં હોવાથી “ તે માજીમાં રહી સંસારીજીવને તેમ કરવા વારંવાર પ્રેરણા કર્યાં કરશે “ અને તેથી સંસારીજીવ આપણને જોવાની ઇચ્છાથી આપણી સન્મુખ “ થતા જશે. વળી એ કારણેાને લઇને એના આત્માને વધારે વધારે “ શાંતિ અને સુખ થતાં જશે, એના મનમાં વધારે વધારે સંતાષ થતા . જશે, એનાં કર્મો પાતળાં પડતાં જશે અને એને સંસાર ચકરાવાને ભય મટી જશે. ગૃહિધર્મના એ ચારે મેાટા ગુણા છે. આ પ્રમાણે '' ૧ આ આખી હકીકત બહુ વિચારવા ચાગ્ય છે. એકલા જ્ઞાનથી ગૃહિધર્મ દ્રવ્યથી આવે છે, સમ્યગ્દર્શનના સહુયામથી ઘેાડા વખત અવિરત ભાવ રહે છે અને પછી દ્રવ્ય શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. જ્ઞાનદર્શનનાં સામાન્ય યાગથી ગૃહિધર્મ અસંખ્યવાર આવે છે અને જાય છે. જ્યારે આદરપૂર્વક ગૃહિધર્મ સ્વીકારાય, સાધપર પ્રેમ થાય, એમાં આત્મરંજન થાય, એમાં વિશ્રામ થાય, ત્યારે પછી ખરા આધ થાય છે અને પછી ભાવથી ગૃહિધર્મ સ્વીકારાય છે. આ સર્વ વાત અત્યંત અસરકારક રીતે વાર્તાના રૂપમાં કહી નાખી છે. ૨ આ ચારે ગુણા ખાસ લક્ષ્યમાં રાખવા યાગ્ય છેઃ— (૧) ચેતનની સુખાસિકાઃ આત્મા સ્વગુણમાં રમતા કરે ત્યારે તેને અદ્ભુત આનંદ થાય છે, તે મહાસુખ અનુભવે છે-આ આત્માને અંગે વાત થઇ. (૨) મનમાં સંતાષઃ મૂર્છા વગરનું અથવા અલ્પ મૂર્છાવાળું મન બહુ નિરાતમાં હાય છે, એની દોડાદેાડી ઘટતી જતી હેાય છે—આ મનને અંગે વાત થઈ. (૩) ફર્મની પાતળાશઃ સંસારમાં રખડાવનાર કર્મો છે, એ દરેક સમયે પ્રાણી એકઠાં કરે છે, એમાં જ્યારે આવક ધટે ત્યારે હેાય તે કર્મો પાતળાં પડતાં જાય છે અને સંસાર ધટવાને અંગે મહાન લાભ પ્રાપ્ત થાય છે. (૪) ભવભીતિને અભાવ: સંસાર વૃદ્ધિની ખીક ભારે જખરી છે, સર્વ દુઃખા સંસારને લઇને છે અને સમર્જુને તેના ભય બહુ લાગે છે. માર્ગે આવી ભાવથી ગૃહિધર્મે આદરનારને પછી સંસારની ખીક રહેતી નથી. ગૃહિધર્મના આ ચારે ગુણેા બહુ મનન કરવા યાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy