SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [કરતાવ૮ કરીને તેને તે બન્ને મિત્રો હજુ આગ્રહથી ઘરમાં રાખશે.' આ પ્રમાણે હકીકત હોવાથી જ્યાં સુધી એ બન્ને મિત્રોના કહેવા પ્રમાણે આચરણું “અને વર્તન કરી સંસારીજીવ ઘરમાં રહે અને વળી શબ્દ વિગેરે સ્થળ વિષયને સુખના હેતુભૂત સમજે ત્યાં સુધી મારે વિદ્યાને સાથે લઇ “તેની પાસે જવું યોગ્ય લાગતું નથી. મારી સલાહ પ્રમાણે તે હાલ તુરત કુમાર ગૃહિધર્મને તેની ભાર્યા સાથે સંસારીજીવ (ગુણધારણ) “પાસે જલદી મોકલી આપો યોગ્ય છે. અત્યારનો સંસારીજીવને વખત “અને તેની આજુબાજુના સંગો જોતાં જે કુમારશ્રીને મોકલવામાં આવે તો તે ઘણું યુગ્ય થઈ પડશે અને જે કાર્ય સાધવાની આપ“શ્રીની ઈચ્છા છે તેને મદદ કરનાર (સાધક) પણ એ જ બાબત આગળ ઉપર થઈ આવશે. વળી તેમની ભાર્યા સદ્ગુણરતા છે તે તો સંસારીજીવને બહુ ઈષ્ટ થઈ પડશે. મને તો લાગે છે કે “માર જે હાલ ત્યાં જાય તો તેના જવામાત્રથી જ ભાવપૂર્વક તેને પિલે “ગુણધારણ આદરી લેશે, વધાવી લેશે અને સંબંધી કરી લેશે. એ પ્રમાણે બનવાનું કારણ મને એમ જણાય છે કે અગાઉ “પણ જ્યારે જ્યારે પિલે સદાગમ એ સંસારીજીવની પાસે હતો ત્યારે “ ત્યારે તેણે આપણું કુમારશ્રીને દ્રવ્યથી ઘણીવાર જોયેલ છે, વળી અગાઉ પણ જ્યારે જ્યારે એ સંસારીજીવની પાસે સમ્યગદર્શન છે. નાપતિ હતો તે વખતે તે પણ આ આપણું કુમારશ્રીને સાથે લઇ “ જતો હતો કારણ કે એ આપણું સેનાપતિને કુમારશ્રી ગૃહિલાર્મ ઉપર ઘણે વસળભાવ છે. સમ્યગદર્શન સંસારીજી પાસે ગયા પછી બેથી નવ પલ્યોપમ જાય ત્યારે અગાઉ પણ સંસારી જીવ ભાવપૂર્વક ગૃહિધર્મ કુમારને પોતાની સોબતમાં રાખવાનું સ્વીકારતો હતો. વળી અગાઉ જ્યારે જ્યારે એ સંસારીજી સદગમ અને સેનાપતિ(સમગદર્શન)ને ફરીવાર જોયા હતા ત્યારે ત્યારે તેણે આ કુમારશ્રી ગૃહિ ધર્મને સ્વીકારેલ છે અને તેવી હકીકત અસંખ્ય વાર બની ગઈ છે. ન / ભગાવળી કર્મને ઉદય એને સંસારમાં રાખશે. શુભ કર્મ ૫૭ - ગેવ્યા વગર ચાલતું નથી એ બાબત પર અત્ર વિવેચન છે, એ બેડી સેનાની છે પણ આખરે તે બેડી જ છે. - ૨ ૫૯૫મના પ્રમાણ માટે જુઓ ચતુર્થ કર્મગ્રંથ. અસંખ્ય વર્ષે એક પલ્યોપમ થાય છે. ૩ પલ્યોપમ પૃથકવ કાળ સમ્યગદર્શન રહ્યા પછી ગૃહસ્થ ધર્મ જ આવે. એક વાર વિકાસ થયા પછી પાછો પડે તો પણ તેટલે ચઢવાના પ્રસંગ બહુધા જરૂર પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy