SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ પડતું નથી, તેનો ભેદ ખુલ્લો જણાતો નથી. આ પ્રમાણે હકીકત હોવાથી જ્યારે કે અતીન્દ્રિય વિષયના જાણકાર મુનિમહારાજને વેગ થશે ત્યારે તેમને આ સંબંધી વિગતવાર ખુલાસો પૂછીને નિર્ણય કરીશ, એ વગર આ બાબતને સંતોષકારક ખુલાસો થાય એમ લાગતું નથી. આ પ્રમાણે મારા મનમાં સંદેહ છે છતાં પિતાશ્રી વિગેરેએ સ્વપ્રને અર્થ જસુવ્યો તેમાં ઉઘાડી રીતે મેં કાંઈ દૂષણ કાઢ્યું નહિ, મેં તે વાત માન્ય કરી અને મનમાં કરેલ નિશ્ચય મનમાં ધારી રાખ્યો'. વિદ્યાધરોનો સત્કાર અને વિસર્જન, જે ખેચરો કનકેદર સાથે લડવા આવ્યા હતા અને જેઓ આ ખરે મારા સંબંધી થયા હતા તેઓ રાજા કનકેદાર સાથે મારા મંદિરમાં કેટલાક દિવસ રહ્યા. તેઓનો અત્યંત આદરસત્કાર કરી મેં તેઓને ઘણો આનંદ ઉપજાવ્યું. એ આનંદામૃતમાં સ્નાન કરી મારા પ્રત્યે સેવકપણું અંગીકાર કરી તેઓ સર્વ પિતતાને સ્થાનકે સીધાવ્યા. મૃત્યુલોકમાં દેવ સુખાનુભવ, નિશ્ચિન્તાવસ્થામાં નિર્દોષ પ્રેમ, સુખસાગરમાં અલિપ્તાવસ્થા, મદનમંજરી સાથે સુખસાગરમાં હું ડૂખે અને લીલામાં મારા દિવસે ત્યાર પછી પસાર થવા લાગ્યા, દેવતાઓ દેવલોકમાં સુખે અનુભવે તેવા સુખને હું મૃત્યુલેકમાં અનુભવ કરવા લાગે, દિવસે દિવસે તેના પ્રેમરસનું પાન વધારે વધારે કરવા લાગ્ય, આનંદરસામૃત દરરોજ વધતો જ ચાલ્ય અને સુંદર ભાવપૂર્વક તેનું મીલન મને વધારે વધારે સુખ આપતું ગયું. અમારે પ્રેમ વધારે જામત ગ, અમારા આહાદમાં નિરંતર વિકાસ થતો ગયો અને અમારી ગોષ્ટિ વિશેષ દૃઢ થતી ચાલી. રાજ્યકાર્યની ચિંતા પિતાજી કરતા હતા, અનેક રાજાઓ મને નમસ્કાર પ્રણામ કર્યા કરતા હતા. એવા સુંદર સંયોગોમાં અહો વિશાલાક્ષિ! મને ચિંતાની ગંધ પણ આવતી ન હતી, મારા દિવસો સુખમાં પસાર થતા હતા. વળી વિદ્યાધરે અનેક સુગંધી ફૂલની માળાઓ લઈ આવતા હતા, સુંદર આભૂષણદિ સર્વ વસ્તુઓ લઈ આવતા હતા અને એવી રીતે અમારી સવે ઇચ્છાઓ પૂરી થતી ૧ આ ગુણધારણ કુમારનો વિનયગુણ બતાવે છે. ૨ ઉત્તરરામચરિત્રમાં ભવભૂતિ રામના મુખમાં મૂકે છે તે સરખાવો जीवत्सु तातपादेषु, नवे दारपरिग्रहे, मातृभिश्चिन्यमानानां, ते हि नो दिवसा गताः महीने મળત ભાવ સુંદર રીતે મૂક્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy