SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] કંદમુનિ, રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થ ધર્મ. ૧૮૮૫ અદશ્ય થઈ ગયા, મારી પાસેથી ચાલ્યા ગયા, ત્યાર પછી તુરત જ હું જાગે અને જોઉ છું તો ન મળે કે ઈ મનુષ્ય કે ન સંભળાય તેમની ભાષા! ભાઈ! એ પાંચ મનુષ્યો કેણ હતા અને તેઓ તારાં સર્વ કાર્યોની જિના કેવી રીતે કરે છે તે વાત હું કાંઈ પણ સમજતો નથી.” ગુણધારણ (હું પિતે)–“ભાઈ કુલધર! આ સ્વમ સંબંધી હકીકત તું પિતાશ્રી વિગેરે પાસે કહી સંભળાવ કે જેથી એને અંદર ખરેખર ભાવાર્થ શું છે તે આપણે સમજવામાં આવી જાય.” મારે બુદ્ધિમાન મિત્ર કુલંધર ત્યાર પછી રાજ્યસભામાં ગયે. મારા પિતાશ્રીની રાજ્ય સભામાં અનેક વિદ્વાન હતા. સ્વપ્રાઈપર પિતાશ્રી સમક્ષ આખી રાજસભામાં ઉલંધરે પિતાને વિચારણું. આવેલાં સ્વમની હકીકત વિગતવાર કહી સંભળાવી. મારા પિતાશ્રીએ તેમજ મોટા વિદ્વાનોએ પિતાની બુદ્ધિથી અંદર અંદર સ્વપના અપર વિચારણું ચલાવી અને ત્યાર પછી સર્વએ એકમત થઈ સ્વપ્રને ભાવાથે નીચે પ્રમાણે જણાવ્યો “એમ જણાય છે કે અમુક દે ગુણધારણને અનુકૂળ થયા છે અને તેઓએ જ કુમારના સંબંધમાં આટલી બધી કલ્યાણમાળાઓ રચી આપી છે. કુમારને જે સુંદર અનુકૂળતાઓ થઈ છે તે તેઓને પ્રતાપ છે. વળી તેઓએ જ પ્રસન્ન થઈને કુમારના મિત્રને (કુલંધરને) સ્વમમાં આવી કહ્યું જણાય છે કે એ સર્વ કલ્યાણપરંપરા તેઓએ કરેલી છે.” પિતાશ્રીઓ અને વિદ્વતાજસભાએ સ્વમનો જે નિર્ણય આપે તે મેં પણ સાંભળ્યો, હું રાજસભામાં તે વખતે હાજર વિચારણા પર હતો. અગાઉ કામલતાએ મને વાત કરી હતી કે વિ ચા ૨ ણ. તેના પતિ અને મારા સાસરા કનકદરને સ્વમમાં ચાર મનુષ્યો આવ્યા હતા અને તેમણે રાજાને ઉંઘતાં જગાડી જણાવ્યું હતું કે તેની દીકરી મદનમંજરી માટે તેમણે વર શેધી રાખે છે, તેથી રાજા કનકેદરે તે સંબંધમાં ચિંતા કરવી નહિ. આ વાત મને બરાબર યાદ હતી તેથી મારા મનમાં સંદેહ છે કેકનકેદરરાજાએ અગાઉ ચાર મનુષ્યને જોયા હતા તે શું? અને કુલંધરે પાંચ મનુષ્યને સ્વપમાં જોયા તે શું! ક્યા દેવરૂપો મારા કામની આટલી બધી ચિંતા રાખે છે અને તેમ કરવાનું કારણ શું હશે? મને તે આ સર્વ બાબતમાં કાંઈ ઊંડું કારણ ભાસે છે પણ તે શું હશે તેનો હાલ તે ખ્યાલ આવતો નથી, તેનું રહસ્ય માલૂમ ૧ જુઓ ૫ણ ૧૮૬૬ (ચાલુ પ્રસ્તાવનું પ્રકરણ બીજું ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy