SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] લગ્ન અને આનંદ. ૧૮૭૯ અંદર અંદર સ્પર્ધા કરતું એ આખું લશ્કર અમારી તરફ આવતું હાય એમ જણાયું. બહુ ટુંક સમયમાં તે આખું લશ્કર લગભગ અમારી અહુ નજીક માથા પર આકાશમાં આવી પહોંચ્યું. કનકાદર રાજા મહા બુદ્ધિશાળી હતા, તેણે આકાશમાં નજર કરી કે તુરત જ સર્વ હકીકત તેના ખ્યાલમાં આવી ગઇ. કનાદરને નિ-તેણે તુરત જ હાક મારી–“ અરે મારા વિદ્યાધર ! ર્ણય અને પાસેનાનીઓ ! તમે તૈયાર થા. ચટુલ દૂત હમણાં ડેલી વીર હાક. અહીં આવીને જે વાત કરી ગયા તે વાત હવે ખરાખર સ્કુટ થઇ. ચટુલ મને બાતમી આપી ગયા હતા તેની મતલબ એ જ હતી કે મારી દીકરીના સ્વયંવર વખતે જે રાજાએ કાપ કરીને મને મળ્યા વગર કે મારી રજા લીધા વગર મંડપમાંથી ઉઠીને ચાલતા થયા હતા તેને પોતાનાં મનમાં ઘણા દ્વેષ થઇ આવ્યા હતા; તેઓ સર્વ ત્યાર પછી મળી ગયા છે અને હજુ ખારથી મળ્યા કરે છે. તેઓએ પાતાના દૂતા રાખી મૂકયા હતા. તેમની મારફત તેમને ખબર પડી ગઇ કે મદનમંજરી ગુણધારણ કુમારને આપવામાં આવી છે. જેવી એ હકીકત તેઓના જાણવામાં આવી કે તેઓ સર્વ વધારે ક્રોધમાં આવી ગયા. તેઓને એવા વિચાર થયો કે અરે! અમે તે મેટા વિદ્યાધર મનુષ્યો છીએ, મહા ઉત્તમ છીએ અને પેલા ગુણધારણ તે જમીન પર ચાલનારા છે, સાધારણ સ્થિતિના મનુષ્ય છે! છતાં તેને પરણાવે છે તે આપણાથી કેમ સહન થાય ? આ હકીકતને લઇને તે સર્વ લડવા માટે આવી ચઢ્યા છે. તે એ સર્વ આ આહ્વાદમંદિર સુધી આવે તે પહેલાં ગરૂડ જેમ કાગડા ઉપર તૂટી પડે છે તેમ તમે તેના ઉપર ધસારો કરે, તેઓને જે મિથ્યા અભિમાન પેાતાની જાત માટે થયું છે તેને જલ્દી દૂર કરો અને એ સર્વને જમીનભેગાં કરી દા. મારા ભૂમિ ઉપર રહેલ સેવકબહાદુર ! મને તમારા શૂરાતન પર પૂરતા વિશ્વાસ છે, તમે તમારી બહાદુરી બતાવી સ્વામીનું નામ રાખેા.” કનકાદર રાજાના સેનાનીએ જમીન પર હતા. સ્વામીની રણુહાક સાંભળીને તે સર્વ તેજમાં આવી ગયા અને એકદમ આકાશમાં ચઢવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે મારા ( ગુણધારણના–સંસારીજીવના મનમાં વિચાર આવ્યો કે-અહે। અહે ! મારી ખાતર ↑ વિદ્યાધરઃ એ પણ એક જાતના મનુષ્યા છે, પણ વિદ્યાના યાગથી તેએ આકાશમાં ઉડી શકે છે. આ શક્તિને લઇને તેઓ પેાતાની જાતને ઉત્તમ માને એમાં સ્થૂળ નજરે નવાઇ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy