SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૮૭૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ તે વખતે કનકેાદર રાજા ( મદનમંજરીના પિતા ) ત્યાં આવી પહોંચ્યા. ચા તરફ ઝગઝગાયમાન થતાં રત્નોની પ્રભાથી આકાશમાં માટે પ્રકાશ થઇ રહ્યો. રાજા સાથેના વિદ્યાધરા જાણે મોટા ઋદ્ધિવાળા મહાન દેવા હાય તેવા દેખાવા લાગ્યા અને તેમની વચ્ચે કનકેાદર રાજા જાણે ઇંદ્ર હાય તેવા દૂરથી આકાશમાં શાભવા લાગ્યા. એના વિમાનમાં એણે અનેક રત્નો સાથે ભરી લીધાં હતાં તેની શાભા પણ અવણ્ય હતી. એમણે આકાશમાંથી સપ્રમેદપુર નગર જોયું એટલે ધીમે ધીમે તે સર્વ ખેચરાને સાથે લઇને આહ્વાદમંદિર ઉદ્યાનમાં ઉતરવા લાગ્યા અને અમે અત્યંત વિસ્મયપૂર્વક તેને આકાશમાંથી જમીન પર ઉતરતા જોઇ રહ્યા. આલ્હાદ મંદિરમાં આનંદ. કનકાદર રાજા નીચે ઉતર્યાં એટલે અમે સર્વ ઊભા થયા અને મસ્તક નમાવી તેને પ્રણામ કર્યાં. સર્વ પોતપેાતાને યોગ્ય સ્થાનકે બેઠા. કેટલાક વખત સુધી કનકાદર મહારાજા પ્રેમનજરે મારી સામું જોઇ રહ્યા. આ તે જ હોવા જોઇએ' એમ પોતાના મનમાં સંતુષ્ટ ચિત્તે નિર્ણય કરીને પછી એણે કામલતા સામું જોયું. ચતુર માણસા આજુબાજુની હકીકત અને આકૃતિ ઉપરથી સર્વ હકીકત અનુમાનથી સમજી જાય છે. ચતુર કામલતા રાજાના અંતરભાવ સમજી ગઇ અને ટુંકામાં એણે જરૂરી સર્વ વાત રાજાને કહી જણાવી. રાજાએ પછી પોતાના અભિપ્રાય જણાવતાં કહ્યું “ દેવિ ! આ દીકરીને આપણે અત્યાર સુધી અત્યંત આકરી પસંદગી કરનારી કહેતા હતા, એ તે જાણે કોઇને પસંદ કરશે કે કુમારી રહેશે એવા આપણને સંદેહ થતા હતા, પણ એણે આવા પુરૂષરતને પસંદ કરીને પોતાની ઉપરના દુષ્કરરૂચિપણાને આરે પ તદ્દન દૂર કરી નાખ્યા છે. ખરેખર ! ઇંદ્રાણી (શચી) ઇંદ્ર સિવાય બીજા કાઇની તરફ પેાતાનું મન સ્થાપતી નથી.” રાજાના આ અભિપ્રાયને સમર્થન કરતાં દેવી કામલતા બોલ્યા “ હાજી ! એ વાત તદ્દન ખરા અર છે! એમાંશા સંદેહ છે!” ૫ સંદગીની પસં ૬ ગી. આ પ્રમાણે આનંદચર્ચા ચાલતી હતી ત્યાં કનકાદર મહારાજા પાસે તેના ચટુલ નામના દૂત દોડતા આવ્યો. એણે મહારાજાના કાન પાસે જઇ કાંઇ છાનીમાની વાત કરી. રાજાએ દૂતને વિસર્જન કર્યાં. પછી આવી અગત્યની મામતમાં ઢીલ કરવી સારી નહિ એમ ૧ દૂતે શી વાત કરી તે આ જ પ્રકરણમાં આગળ જણારો. જીએ રૃ. ૧૮૭૯. સમાચાર અને શી ઘ્ર લ શ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy