SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૭૧ “ માજી ! મને એમ લાગ્યું કે સખિએ જે નિર્ણય કર્યો છે તે તે કોઇ પણ પ્રકારે ફેરવે તેમ નથી, એટલે પછી એક મેાટા વિશાળ ઝાડના કોતરમાં મેં તેને બરાબર મૂકી દીધી, ત્યાં મેં તેની સારૂ ઠંડાં પાંદડાંની શય્યા કરી આપી, એની પાસે સાગન લેવરાવ્યા કે એણે એ સ્થાનમાંથી જરા પણ દૂર કે આડુંઅવળું જવું નહિ કે બીજું કાંઇ આડુંઅવળું કરી બેસવું નહિ. ત્યાર પછી અત્યંત વેગપૂર્વક તરવાર જેવાં કાળા વાદળાંઓને વીંધીને હું અહીં આવીધું. આ પ્રમાણે હકીકત છે. હવે આપને યેાગ્ય લાગે તેમ કરો.” * * { કામલતા આગળ વાત ચલાવતાં ગુણુધારણ કુમારને કહે છેઃ—} પિતાના નિર્ણય. માતાનું આગમન. સ્વાસ્થ્ય ઉપાય. આટલી વાત સાંભળી એટલે મારા કાંત કનકાદર રાજાએ મને કહ્યું “ત્યારે દેવિ ! તમે જલ્દી પુત્રી પાસે જાઓ અને મદનમંજરીને અરાબર શાંતિ કરી આપે!. હું બધી સામગ્નિ એકઠી કરીને તમારી પછવાડે આવું છું. તમે જરા જલ્દી જઇ છેડીને ધીરજ આપે. મારે પછવાડે આવવાનું એક કારણ છે. મારા મનમાં શંકા છે કે પેલા વિદ્યાધરો સ્વયંવરમાંથી ઉઠીને ચાલ્યા ગયા છે તે બહુ કોપાયમાન થઇ ગયા છે. આપણા આતમીદાર ચટુલ નામના દૂતે એ સંબંધી કેટલીક ખાનગી બાતમી મને હમણા જ આપી છે, માટે મારે સર્વ સામગ્રિ લઇ ખરાખર તૈયાર થઇને ત્યાં આવવું વધારે યોગ્ય થઇ પડશે એમ મને લાગે છે. વળી ત્યાં જતી વખતે મારે કાંઇ નજરાણું પણુ લઇ જવું જોઇએ, તે લેવામાં પણ થોડો વખત લાગશે, માટે તમે તેા તુરત જ ઉપડી જાઓ” મેં મહારાજાનું વચન માન્ય કર્યું અને આ લવલિકાને આગળ કરીને અને સાથે મારી દાસી ધવલિકાને લઇને હું ઉતાવળી આ ઉદ્યાનમાં આવી. મદનમંજરી. ઉદ્યાનમાં આવતાં ઠંડાં પાંદડાંની પથારીમાં બેઠેલી અને યાગિનીની પેઠે કોઇ એક જ બાબતનું ધ્યાન કરી રહેલી મારી દીકરી સદનમંજરીને મેં આ ઉદ્યાનમાં જ્યાં તેને લવલિકાએ મૂકી હતી ત્યાં જ જોઇ. એ એવા ધ્યાનમાં મશગૂલ થઇ ગઇ હતી કે એને અમારા આવવાની ખબર પણ પડી નહિ. અમે તેા પછી એની મામાં જઈને સર્વ બેઠા. ૧ આડુંઅવળું કરવું એટલે આત્મધાત અથવા અત્યંત શાક કરવા, મદન મંજ રીની સ્થિતિ અને ધીરજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy