SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૬૭ “અનાદિ કાળથી મારા દરરોજ ઉદય થવાના, માથે આવ “વાના અને અસ્ત થવાના ક્રમ સિદ્ધ છે તેમ દરેક “ ભવમાં તમારા પણ તેવા જ સિદ્ધ ક્રમ છે’.” કાળનિવેદકના આ શબ્દો સાંભળીને રાજાને વિચાર થયો કે અહા ! આ કાળનિવેદક જે ખેલે છે તે તદ્દન યેાગ્ય નિર્ણય. છે. સ્વમના સાચા અર્થ મને બેઠા હતા એને તેણે ખરાખર ટેકો આપ્યો જણાય છે. મને તેના કહેવા ઉપરથી જણાય છે કે જેમ દેવરૂપ ચાર મનુષ્યાએ મને અગાઉ જણાવ્યું કે મદનમંજરીને વર તેઓએ અગાઉથી જોઇ રાખ્યા છે તેમ આ કાળનિવેદક પણ જણાવે છે કે સૂર્ય દરરોજ ઉદય પામે છે, પેાતાના પ્રતાપ ( તાપ, ગરમી) ચારે તરફ ફેલાવે છે, અસ્ત થવા રૂપ અદશૅનને પામે છે અને વળી ફરી બીજે દિવસ ઉદય થાય છે, તેવી રીતે મનુષ્યાને દરેક જન્મમાં સુખદુઃખ થાય છે, લાભહાનિ થાય છે, ગમનઆગમન થાય છે, તે સર્વ અગાઉથી નિર્ણય થઇ ગયેલ જ હાય છે અને તે પ્રમાણે સર્વ એક પછી એક અન્યા જ કરે છે તેથી કોઇ ખામતમાં દીલગીરિ કરવી ન જોઇએ એમ તેણે જણાવ્યું. આ સર્વ આખત પહેલેથી ગોઠવાઇ ગયેલી હાય એમ ચાસ જણાય છે. માટે હવે આ બાબતમાં આપણે ચિંતા શામાટે કરવી જોઇએ-આવે વિચાર કરીને રાજા નિશ્ચિંત થયા, એને મનમાં ખેદ થતા હતા તે દૂર થઈ ગયેા અને એની વ્યાકુળતા મટી ગઇ. વરશાધન માટે પર્યટન, હવે ઉપર જણાવ્યું તેમ મારી સાથે વાત થયા પછી વરશેાધનના ઉપાય વિચારવા લયલિકા મદનમંજરી પાસે ગઇ. લલિકાએ તેને સીધા સવાલ પૂછ્યો કે તેણે આ બાબતમાં શું ધાર્યું છે એટલે દીકરી મદનમંજરીએ' જવાબ આપ્યા “જો મને માતા અને પિતા અન્ને રજા આપે તે હું પોતે જ આખી પૃથ્વી પર વરની શોધ માટે ફરું અને ફરીને મારે માટે યોગ્ય વરને પસંદ કરી તેની સાથે મારૂં પાણિગ્રહણ કરૂં.” મદનમંજરીએ લલિકાને જે જવાબ આપ્યા તે તેણે મને (કામલતાને ) જાન્યા, મેં મહારાજા કનકાદરને તે વાત કરી, તેમણે વિચાર કર્યો કે દીકરીએ આ સારા તાડ ઉતાર્યો છે! પેલા ચાર મનુષ્ય ૧ મનમંજરીની માતા કામલતા આ સર્વ વાત લવલિકાની સેાબતમાં ગુણધારકુમાર અને કુલંધરને હી બતાવે છે. ગુણધારણ સંસારીજીવ છે અને તે પેાતાના આખા વ્યતિકર અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહી બતાવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy