SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ १८१४ ઉપમિતિ ભવપ્રપંચ કથા. કરતાવ ૮ ગુણ તો એના ઘરના જ થઈ પડેલા છે, અને એની ધજામાં સુંદર વાંદરાનું ચિહ્ન છે. આવી રીતે એક એક રાજપુત્રનું હું વર્ણન કરતી ગઈ તેમ તેમ મદનમંજરી વધારે વધારે દીલગીર થતી ગઈ. સ્વયંવર પડી ભાંગ્યો; મદનમંજરી અને માતાને ખેદ, સખી લવલિકાની સમજાવટ, (કોમલતા ગુણધારણુ પાસે આગળ વાત કરતાં કહે છે –)હું જેમ જેમ વિદ્યાધરરાજાઓનાં ગુણોનું વર્ણન કરતી ગઈ તેમ તેમ એક કમનસીબ સ્ત્રી પોતાની શક્યના ગુણોનું વર્ણન સાંભળે ત્યારે જેવી તેના મનની સ્થિતિ થાય, અથવા આપત્તિમાં આવી પડેલ સુભટ ( લશ્કરી-સેનાની) જેમ શત્રુના બળની હકીકત સાંભળી નારાજ થાય, અથવા અભિમાની વાદી તેની સામે થનાર પ્રતિવાદીને હાથ ઉપર આવતો ( અતિશયપણું) જોઈને જેમ ઝાંખો પડી જાય અથવા ઈષ્યવાળ વૈદ્ય તેના ઉપર આવનાર બીજા કુશળ વૈદ્યની કુશળતા જોઈને જેમ પાછો પડી જાય, અથવા ગર્વિષ્ટ જ્ઞાની પિતાનું માથું તેડે એવા બીજા વિજ્ઞાનીની નિપુણતા જુએ ત્યારે તેના મનની જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ મદનમંજરીની થઈ ગઈ. એણે તે પોતાની નજર પણ ઊંચી ન કરી અને તદ્દન પ્લાન મુખવાળી થઈ નીચે જમીન પર જોઈ રહી. મારા મનમાં મને ઘણી નવાઈ લાગી અને અરેરે ! ! આ તે શ થઈ ગયું ! એવી ઊંડી ચિંતા મને થઈ આવી અને હું બોલી “દીકરી! મદનમંજરી! તને આ વિદ્યાધર રાજાઓમાંથી કઈ પસંદ આવ્યો? તું કેમ કાંઈ બોલતી નથી?” એટલે તુરત જ મદનમંજરીએ જવાબ આ “માતુશ્રી ! આપણે આ સ્થાનકેથી જલદી પાછા ચાલે, એ લોકેાનાં દર્શનથી સર્યું ! મને તો આ વાત જરા પણ ગમતી નથી. તે એ લેકનાં મોટાં મોટાં બનાવટી વર્ણન કરે છે તે સાંભળીને મારું માથું દુખવા આવી ગયું છે.” દીકરીને આ જવાબ સાંભળીને હું બહુ વિષાદ પામી ગઈ, દીકરીને ગાંડપણ આવી ગયું છે એવો ખ્યાલ કરવા લાગી. મેં મહારાજા કનકેદરને હકીકત જણાવી એટલે તે પણ ચિંતાતુર થયા અને બાલ્યા. એને રાજમહેલમાં લઈ જાઓ અને એના મનના દુઃખથી એની શરીરપ્રકૃતિ અસ્વસ્થ (ખરાબ) ન થાય તેની સંભાળ ૧ અહીં બેં. . એ. સેસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૧૧૦૧ શરૂ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy