SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ આવી અને ટુંકામાં કોઈએ આવીને સંતતિ થવાના જે કાંઈ પણ ઉપાય બતાવ્યા તે સર્વ કરવામાં આવ્યા. ત્યાર પછી કેટલેક કાળ ગયા પછી મારી મધ્ય અવસ્થા થતાં–ગદ્ધાપચીશી (યુવાવસ્થા) પૂર્ણ થતાં મને ગર્ભ રહ્યો. રાજા બહુ રાજી થયા. ગ્ય કાળે મને પુત્રીને પ્રસવ થયે, એના શરીરની કાંતિ એવી સુંદર હતી કે તેના તેજથી દિશા સમૂહને તે ઝળપુત્રી જન્મ. કાવી રહી હતી. રાજાને તે વાતની ખબર આપવામાં આવી. રાજાને આનંદ થયો. એણે ઘણું વધાઈઓ પણ આપી. સારે દિવસે સગાસંબંધીઓને બોલાવી તેનું મદનમંજરી નામ રાખવામાં આવ્યું. મદનમંજરી સુખમાં ઉછરવા લાગી અને સર્વને અત્યંત વહાલી થઈ પડી. મહારાજા કનકેદારને એક નરસેન નામના ૌવન અને વર લશ્કરી સાથે ઘણો પ્રેમ હતો, તેને વેલડીની જેવી એક પ્રાપ્તિની ચિત્તા. અત્યંત સુંદર દીકરી હતી. એ છોકરીનું નામ લવલિકા હતું. તેને અને મદનમંજરીને બહુ પ્રેમ હતો. બન્ને એક બીજાની પ્રિય સખી થઈ ગઈ. મદનમંજરીએ સર્વ કળાઓનો અભ્યાસ કર્યો તેની સાથે એની બહેનપણી લવલિકા પણ સર્વ કળાઓ શીખી. અનુક્રમે મદનમંજરી યુવાવસ્થાએ પહોંચી. રૂપમાં તે ઘણી સુંદર હોવાથી અને અભ્યાસ ઘણો સારો કરેલો હોવાથી પિતાને યોગ્ય કઈ પતિ પોતાને મળનાર નથી એવા ખ્યાલથી આખરે તે પુરૂષોષિણી થઈ; કે પુરૂષ રૂપ ગુણમાં તેના ધ્યાનમાં આવે નહિ, પિતાને ગ્ય જણાય નહિ અને પિતાને લાયક કઈ હેવો સંભવિત જ નથી એ લગભગ તેના મનમાં નિર્ણય થઈ ગયે. પુરૂષ તરફ તેના આવા વિચાર થઈ ગયા છે એમ લવલિકા મારફતે જ્યારે મારા જાણવામાં આવ્યું ત્યારે મને ઘણો ખેદ થયો. મેં એ હકીકત મહારાજા કનકેદરને જણવી. એમના જાણવામાં એ વાત આવતાં તેઓશ્રીને પણ ચિંતા થઈ અને વિચાર થયો કે આ પુરૂષષક (કન્યા)નું હવે શું થશે ! વિચાર કરતાં કરતાં સ્વયંવર. રાજાને એક વાતે ઘાટ બેઠે. એમણે પિતાના મનમાં નિર્ણય કરીને સ્વયંવરમંડપની રચના આદરી અને જેટલા વિદ્યાધર રાજાઓ અને રાજવારસો હતા તે સર્વને આમંત્રણ કરીને સ્વયંવરમાં બોલાવ્યા. રાજાઓ પણ એક પછી એક તાકીદે આવવા લાગ્યા. એ સર્વ રાજાઓને યોગ્ય માન સન્માન આપવામાં આવ્યાં. પછી એક મોટે મંચ ગોઠવવામાં આવ્યું. એ માચડા ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy