SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છે આકરા દુર્ભેદ કર્મસમૂહથી ઘેરાઈ ગયે, વીંટળાઈ ગયે, ભરપૂર થઈ ગયો અને તેને પરિણામે મારી ભાર્યાએ અનંત કાળ સુધી દુઃખસમુદ્રમાં લગભગ સર્વ સ્થાનકેએ પાછો ભમા, રૂખડા, તગડા, આ સંસારમાં રહેલી સમસ્ત દ્રવ્યરાશિ મેં અરધા પુદગળપરાવર્તન કાંઈક ઓછા કાળમાં ભેળવી લીધી અને હું ખૂબ રખડ્યો, ચારે તરફ સારી રીતે ભમે. એ ભ્રમણમાં મારે માથે એક પણ વિપત્તિ પડવી બાકી રહી નહિ, એક પણ દુઃખ પડવું બાકી રહ્યું નહિ અને એક પણ આકરી વિડંબના-હેરાનગતિ થવી બાકી રહી નહિ. ખુલાસાઓ. ઉપસંહાર પ્રજ્ઞાવિશાળાની વિચારણા મહામહ પરિગ્રહ, તેમનું અનર્થવિધાન, તત્ર સ્પષ્ટ વિશેષતા. સંસારી જીવ ઉપર પ્રમાણે વાત કરતો હતો તે વખતે અગૃહીતસંકેતાને લાગ્યું કે પોતે કાંઈક અંદરનો ભાવાર્થ પણ સમજે છે. આ ટલા ઉપરચોટિયા જ્ઞાનથી પણ એના મનમાં વિસ્મય ઉત્પન્ન થયા અને પિતે જાણે કાંઈક સમજી હોય તેવું તેના મુખ પર જણાવા લાગ્યું. બુદ્ધિની ભંડાર પ્રજ્ઞાવિશાળાએ ઉપરની વાત સાંભળી ત્યારે તેના મનમાં ઊંડે સંગ થઈ આવ્યો અને તેણે પોતાના મનમાં નીચે પ્રમાણે વિચારણા કરી – “ખરેખર, મને એમ લાગે છે કે સંસારીજીવને જે અનેક પાપ વળગેલાં છે તેમાં મહામહ અને પરિગ્રહ ઘણું ભયંકર છે ભારે આકરા છે, સર્વથી વધારે પ્રબળ છે. તેનું કારણ એ છે કે ૧ દ્રવ્યથી પુગળપરાવર્ત કેવી રીતે થાય છે તેમાટે જુઓ પરિશિષ્ટ છે પ્રથમ પ્રસ્તાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy