SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ રાજા સદાગમના ઉપર વિજય મેળવી તેને પણ દૂર મોકલી આપતે, વળી કઈ વખત તેઓ પણ તેના ઉપર જીત મેળવતા; મતલબ કે વાર સમ્યગ્દર્શન સદારામ સાથે મળી મહામહાદિ પર વિજય મેળવતા અને કેાઇવાર મહામહ પરિગ્રહ સાથે મળી સેનાપતિ અને સદાગમ પર વિજય મેળવતા. આવી રીતે બન્ને પક્ષનો કઈ વાર જય થતા અને કઈ વાર હાર થતી. એ તે જેવો દેશ, જેવો વખત અને જેવા લશ્કરીએ. જ્યારે જેનું પરિબળ થતું ત્યારે તેને વિજય થતા અને સામાની હાર થતી. પણ આ બધી વાતમાં મુદ્દાની વાત એ છે કે હું જેનો પક્ષપાત કરતે, જેના તરફ પ્રેમ દેખાડતે, તેને ઘણે ભાગે ખાસ કરીને વિજય થત અને જેનાથી હું વિરૂદ્ધ દેખાતે અથવા તો તેની હાર થતી. આવી રીતે બન્ને પક્ષની જય પરાજયની-હાર જીતની બાજી અનંત કાળ સુધી ચાલી. પારક પુરે વિભૂષણ, મહાપુરૂષોની નિંદા આશાતના દુખસમુદ્રમાં ભયંકર પાત, બહેન અગ્રહીતસંકેતા! ત્યાર પછી મારી પતી ભવિતવ્યતા મને એક વખત માનવાવાસમાં આવેલા સોપારક નામના સુંદર નગરમાં લઈ ગઈ. ત્યાં શાલિભદ્ર નામનો એક વણિક રહેતું હતું. તેને કનકપ્રભા નામની ભાર્યા હતી. તેને હું પુત્ર થયો. મારું વિભૂષણ નામ રાખવામાં આવ્યું. ૧ આવી રીતે જૈન આમ્નાય પ્રમાણે વિકાસ અને હાનિ થયા કરે છે. એ બન્નેનો આધાર આત્માપર છે. એ ધારે અને વીર્યશક્તિનો ઉપયોગ કરે તો એ પ્રગતિને માર્ગે આગળ વધતો જાય છે, એ નરમ પડી જાય તે શત્રુઓ જેરમાં આવી જાય છે, આવી સ્થિતિ ઘણો કાળ ચાલે છે, પણ એટલું નક્કી છે કે એક વાર સમ્યગ્રદર્શન થયા પછી વધારેમાં વધારે અધે પુગળપરાવર્તન કાળમાં પ્રાણી જરૂર કર્મથી મુક્ત થઈ ભાવશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી પોતાનું સાચું સવરાજ્ય મેળવે છે અને નિરાબાધપણે નિરંતરને માટે સુખી થાય છે. પ્રાણીની પોતાની પ્રગતિ કે પશ્ચાગતિનો આધાર તેના પોતાના જોર પર રહે છે. સમ્યગ્રદર્શન દેશ કાળ પ્રમાણે જોર કરે છે એમ ઉપર કહ્યું તેને એ જ ભાવાર્થ છે. તવશ્રદ્ધાન વગરનું કાન ઉપગી નથી, ચારિત્રની પ્રગતિ જ્ઞાનનું સાધ્ય છે, ત્યાગભાવ શાનનું ફળ છે અને તqશ્રદ્ધાન વગરનું પુસ્તક જ્ઞાન માત્ર ખ્યાતિ માટે જ ઉપયોગી થાય છે. આથી બ્રાન શન અને ચારિત્ર એ ત્રણેની સાથે પ્રગતિ થાય તે જ ખરી થઇ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy