SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] પ્રગતિનો માર્ગ. ૧૮૩૭ આવી રીતે એ ત્રણે ભાઈઓ (સમ્યગ્દર્શન, સદારામ અને ગૃહિધર્મ)ને બહુ વખત જોયા અને જ્યારે જ્યારે જોયા ત્યારે ત્યારે તેઓ મને સુખનાં કારણે થયા અને વળી વચ્ચે વચ્ચે મેં પાછા તેમને છોડી પણ દીધા. મે એકલા સદાગમને તો અનંત વાર જોયો. પણ એના વગર સમ્યગ્દર્શનને તો મેં કદિ પણ જો નહિ. વળી એક બીજી પણ વાત આ પ્રસંગે જણાવી દઉં ત્યારે જ્યારે સમ્યગ્દર્શન સેનાપતિ મારી બાજુમાં હય, મારી પાસે હોય, ત્યારે ત્યારે પુણોદય મારે મિત્ર થતો હતો, તે મને અનુકૂળ થતો હતો. મને માનવાવાસમાં કે વિબુધાલયમાં જે ભેગે મળતા હતા, સંપત્તિઓ પ્રાપ્ત થતી હતી, વિલાસનાં સુખસાધનો સાંપડતાં હતાં તે સર્વે એ પુણ્યદય મિત્ર પૂરા પાડતો હતો. આ રીતે સેનાપતિની હાજરીને એ એક લાભ હતા એટલું જ નહિ પણ એક બીજો પણ લાભ થતો હતો અને તે એ કે એ હોય ત્યારે મારી કર્મની સ્થિતિ ટુંકી થઈ જતી હતી, અંદરના શત્રુઓ ગભરાયેલા અને બ્લેકથી ભરપૂર રહેતા હતા અને મહામહ વિગેરે અંદર ગુપચૂપ પડ્યા રહેતા હતા. કઈ કઈ વખત જ્યારે એ મારા ભાવશત્રુઓ જેરમાં આવી જતા ત્યારે પેલો પુણ્યદય મિત્ર મને તજી જતા હતા, મારાથી દૂર નાસી જતો હતો અને તેથી મને ઘણે ત્રાસ થતા હતા. એ (પૃદય) જેવો મારી પાસેથી દૂર ખસેના કે મને દુ:ખના ડુંગર ખડા થઈ ગયેલા દેખાતા હતા અને મારે તને ભેટવું પડતું હતું. એ સર્વને પરિણામે ભવિતવ્યતા અનંત કાળથી મને ભમાવ્યા કરતી હતી, રખડાવ્યા કરતી હતી. એ પ્રમાણે થાય ત્યારે વળી કમની સ્થિતિ ભારે માટી થઈ જતી, મન તદ્દન અધમ થઈ જતું અને તદ્દન તત્ત્વશ્રદ્ધાન વગરનું બની જતું હતું. આ પ્રમાણે જ્યારે બનતું ત્યારે વળી પેલા મહાશત્રુઓ ભારે જેરમાં આવી જતા અને મારા ઉપર પિતાનું સામ્રાજ્ય ચલાવતા. એમ ત્યારે થતું ત્યારે પેલા ભાઈઓ (સમ્યગ્દર્શન અને સદાગમ) દૂર જઈને બેસતા. આ પ્રમાણ હકીકત અનેક વાર બની ગઈ. વળી એક વધારે વાત તને ચોક્કસ કહી જણવું જ્યારે મિથ્યાદર્શનથી સમ્યગદર્શન સેનાપતિને તિરસ્કાર થતા ત્યારે જ્ઞાનસંવરણ - ૧ જ્ઞાન અને દીનને આ તફાવત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. માત્ર જ્ઞાન થાય તે કામનું નથી. સમ્યગ્રદર્શન વગર જ્ઞાન અનંત વાર થાય તે ઉપયોગ વગરનું છે. સમ્યગદર્શન જ્ઞાન વગર થતું નથી. ગૃહિધર્મ એ ચારિત્રનો વિભાગ છે. જ્ઞાન દર્શન ચારિત્રની આ કુલ વ્યવસ્થા વિચારવા યોગ્ય છે. તેમાં તેઓનું ઉપર ઉ૫રનું સ્વરૂપે પણ સમજવા યોગ્ય છે અને અંતરદષ્ટિનું સ્વરૂપ આદરવા યોગ્ય છે. ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy