SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ મને માનવાવાસ નગરે પાછી લઈ આવી. ત્યાં એક મદન નામનો આભીર રહેતો હતો. તેની રેણુ નામની સ્ત્રી હતી. તેમને ત્યાં હું પુત્રપણે ઉત્પન્ન થયો. મારું કલંદ નામ રાખવામાં આવ્યું. ત્યાં મારા વહાલા ભાઈઓ પેલા સેનાપતિ અને સદાગમ તે મને વિસરી ગયા, ત્યાં આવ્યા જ નહિ. તેને પરિણામે હું પેલા ગૃહિધર્મને તે તદ્દન વિસરી જ ગયે, મેં એને ત્યાં જે જ નહિ; કારણ કે પેલા સેનાપતિ સદાગમ ન હોય ત્યાં એ એકલો કદિ દેખાતે જ નથી. છતાં અગાઉ મારે શેડો વિકાસ થયો હતો, મારામાં ભદ્રક ભાવ જાગૃત થયો હતો તેથી હું પાપથી કાંઈક ખહીતો રહ્યો અને ભદ્ર પરિણામી છે. આવી રીતે આભીરની અવસ્થામાં માનવાવાસે કાળ પૂરો કર્યો. વિસ્કૃતિ અને રખડપા. જ્યોતિષીએ દેવ. ત્યાર પછી મારી ભવિતવ્યતા ભાર્યાએ મને વળી એક નવી ગોળી આપી અને જ્યોતિષ્ક દેવગતિમાં લઈ ગઈ. ત્યાં સારા સારા ભેગે ભોગવ્યા. વળી સંપતિ પણ ત્યાં ઘણું મળી. મેં મારી ઇન્દ્રિયને ૧ આભીરક આહેર. આ આહેર ગોવાળીઆનું કામ કરે છે. તેમનું ધન ગાય ભેંસ ઘેટાં છે, તેમને ચારે અને દૂધ ઊનના પૈસા કરે. જંગલમાં નાની નાની પલ્લીઓ કરી રહે છે. તેમનાં ગામોને “પલ્લી” અથવા “નેહડા” કહેવામાં આવે છે. ૨ વિકાસક્રમમાં એક બાબત અગાઉ પણ લક્ષ્યમાં આણી છે તે ખાસ ધ્યાનમાં રાખવી. પ્રાણી વિકાસમાં આગળ વધે, વળી જે તેનામાં રાગ દ્વેષ મોહનું જોર વધે તો પાછો પડે. આવી રીતે અથડાતાં કુટાતાં જ્યારે એ બરાબર નિઃશંક થઈ આગળ વધે ત્યારે તે પ્રગટ થાય છે. એધ દૃષ્ટિમાં અનંત કાળ ગયો. પછી છેલ્લા પુદગળપરાવર્તિમાં તે યોગ દૃષ્ટિમાં આવે છે. એ એક પુગળપરાવર્તન કાળ પણ ઘણો લાંબો છે, પ્રથમ પ્રસ્તાવના પરિશિષ્ટમાં વિચારાઈ ગયો છે. એ છેલ્લા પુદગળપરાવતેમાંથી અર્થે પસાર થાય ત્યારે ગ્રંથિભેદ થાય છે. ત્યાર પછી ચડઉતર તો થયા કરે છે પણ પછી પ્રાણીની સ્થિતિ ફરે છે, એના કાર્યમાં કુણાશ, એની બેલીમાં મીઠાશ, એનાં વિચારમાં નરમાશ આવતી જાય છે. સંસારીજીવ અત્યારે આ છેલ્લી જણાવી તે દશામાં છે; પડતો જાય છે, વળી ઊઠે છે, પાછો રખડે છે, છતાં એ દરમ્યાન એની આંતર દૃષ્ટિ પ્રગત થતી જાય છે એ સૂક્ષ્મ રીતે જેવાથી જણાશે. આ છેલ્લા પુદગળપરાવર્તન કાળ છે તેમાં જે ધકેલા અને પ્રગતિ થાય છે તે બરાબર વિચારવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy