SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭] પ્રગતિનો માર્ગ. ૧૮૩૩ મારા ભાઈ તરીકે સ્વીકારી લીધા, વધાવી લીધા. હું આટલા વિચાર અને નિશ્ચયપૂર્વક શસ્યામાંથી બેઠે થયે અને દેવતાને યોગ્ય મારાં કર્તવ્ય કરવા લાગ્યો તે નીચે પ્રમાણે એ દેવભૂમિમાં અનેક રોનાં કિરણથી લાલ રંગનાં દેખાતાં જળથી અને સંપૂર્ણ ખીલેલાં કમળોથી શોભી રહેલાં દેવ વિલાસ. મોટાં સરોવરે હોય છે. એવા સરોવરમાં હું હૃષ્ટ પુષ્ટ શરીર અને પધરવાળી લલિત લલનાઓ સાથે નાહ્યો, સરોવરમાં તેમની સાથે સારી રીતે જળક્રીડા કરી અને આનંદ કર્યો. ત્યાર પછી તરત જ લીલાપૂર્વક હું જિનમંદિરે ગયો. એ જિનમંદિર પણ ઘણું ભવ્ય હતું, તદન શુદ્ધ સોનાથી તૈયાર કરવામાં આવ્યું હોય તેવું હતું. એની ફરસબંધીમાં નિર્મળ ર ગોઠવવામાં આવેલાં હતાં. એવા અતિ આકર્ષક જિનભુવનમાં જઈને ત્યાં દૃઢ ભક્તિપૂર્વક તીર્થકર મહારાજને મે વંદન કર્યું. પછી ત્યાં રહેલ મનોહર પુસ્તક ઉઘાડ્યું એ પુસ્તકમાં નિર્મળ પાનાઓનો સંગ્રહ કરવામાં આવેલું હતું, એ આખું પુસ્તક મણિરત્નમય હતું, તીર્થંકર મહારાજનાં વચન વડે ભરપૂર હવાથી રમ્ય લાગતું હતું અને અંદરની હકીકત વાંચતાં રામરાયને વિકસ્વર કરે તેવું હતું. આવું સુંદર પુસ્તક ઉઘાડીને મેં તે વાગ્યું અને ત્યાં રહીને મારે શું કરવાનું હતું–મારે કલ્પ શે હતો તે જાણી લીધું. આવી રીતે ઇચ્છા પ્રમાણે પાંચ ઇન્દ્રિયના ભેગો દેવલેકમાં ભગવ્યા અને આશય પ્રમાણે તેમાં આનંદ માન્યો. એ સૌધર્મ દેવલોકે બે સાગરેપમથી સહજ છે કાળ હું રહ્યો. કલંદ આભીર, મારે સૌધર્મ દેવલ કાળ પૂરો થયો એટલે વળી મારી ભાર્યા ૧ એટલે એ ભવમાં પણ મને સમ્યગદર્શન થયું અને સદાગમનો અભ્યાસ ચાલુ રહ્યો. ૨ દેવતાઓને સમય કીડા નાટકપ્રેક્ષણ અને ઈદ્રિયસુખસાધનના ભેગાપગમાં જાય છે. ત્યાં જે રૂચિમાન પ્રાણી હોય છે તે વિષયમાં વધારે પડતો રાગ કરતા નથી. જે અજ્ઞાનકwથી કે ઉપર ઉપરના ત્યાગથી ત્યાં પહોચી ગયેલ હોય છે તે મિથ્યાજ્ઞાનને લઈને વિષયમાં જ રસ લે છે, આસક્ત થઈ જાય છે અને પરિણામે સંસારમાં પડે છે. ૩ દેવગતિનાં સુખને પરિણામે કેટલીક વાર આવી મોટી હાનિ પહોંચે છે. વાસેનાઓનો લાભ મળે પણ પ્રગતિ અટકી જાય છે અને પછી ધીમે ધીમે પશ્ચાદગતિ પણ થતી જાય છે. વળી પાછો પ્રસંગ મળતાં આગળ કહેવાશે તેમ પ્રાણી ઉપર પણ ચઢતા જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy