SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭] પ્રગતિનો માર્ગ. ૧૯૭૧ ગ્રહિધર્મનું તત્ર આગમન, તેની પાલનાથી વિબુધાલય, કર્મની સ્થિતિ ઉપર જણાવ્યું તેમ ગ્રંથિભેદ કરતી વખત ઓછી કરી હતી તેમાંથી વળી બેથી નવ પલ્યોપમની સ્થિતિ મેં ત્યાર પછી વધારે ઓછી કરી એટલે તે વખતે ચારિત્રરાજને ફટ ગૃહિધર્મ મારી પાસે આવ્યો. મેં તો એને માત્ર સામાન્ય નજરે ઉપર ઉપરથી ઓળખે. મેં એનું વિગતવાર ઓળખાણ તે વખતે કર્યું નહિ. મેં સામાન્ય રીતે (દેશથી) વ્રત નિયમો લીધાં અને લીધાં તેવાં પાળ્યાં; જેટલાં પાળ્યાં તેટલાં શ્રદ્ધાથી શુદ્ધ થયેલ બુદ્ધિએ પાળ્યાં. એને પરિ મે ત્યાર પછી મને એક નવી ગોળી આપીને કલ્પવાસી વિબુધાલયમાં (ચોથા પાડામાં) મને લઈ જવામાં આવ્યો. સૌધર્મ દેવલોકે. દેવ જન્મ વર્ણન, પૂર્વભવનું સ્મરણ, દેવકર્તવ્ય પાલન, પ્રથમ દેવલોક સૌધર્મના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં દેવતાને આકાર ધારણ કરતો હું સુખશય્યામાંથી એક ક્ષણવારમાં જાગૃત થ. દેવતાને જન્મ કેવી રીતે થાય છે અને તે વખતે તેમનું શરીર કેવું હોય છે તે સાંભળવા જેવું છે તે બહેન ! તું સાંભળ. પ્રથમ જે શસ્યામાંથી હું જાગૃત થયો તેનું વર્ણન તારી પાસે કરું છું – એક દિવ્ય પલંગ ઉપર સુંદર તળાઈ રચવામાં આવેલી હોય છે. એ તળાઈ અતિ કેમળ હોય છે, ગુલગુલિયા થાય શવ્યા વર્ણન. તેવી સુંદર હોય છે. એ તળાઇ ઉપર તદ્દન મુલાયમ સ્પર્શવાળું અને મનને આનંદ ઉપજાવે તેવું આચ્છાદન બીછાવેલ હોય છે, મતલબ કે ચાદર (ઓછાડ) પણું ઘણું કમળ હોય છે. એ શય્યાની આસપાસ અતિ સુગંધી ફૂલે અને ધૂપને પમરાટ ફરી વળેલો હોય છે અને એની સુગંધી ચોતરફ વિસ્તરી રહેલ હોય છે. દિવ્ય વસ્ત્રોનો માથે ચંદરવો હોય છે તે આંખને બહુ સારે લાગે તે હેય છે. ૧ ગૃહિધર્મ–એ ચારિત્રરાજનો ફટાયો કુમાર થાય. જુઓ પ્ર.૪. p. ૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy