SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ શંકાએ તે સાચું છે અને તેમાં જરા પણ ભેદભાવ નથી- આવી રીતે શ્રદ્ધા રાખીને હું રાજી થઈને રહેતો હતો. સદાગમ જાતે પિતાનું વિજ્ઞાન મને થોડું થોડું બતાવતો હતો તેટલું જ હું જાણતો હતો, પણ વસ્તુનાં ઊંડા ભાવોનો કે રહસ્યને મને કાંઈ બોધ થયો ન હતે. સદાગમના પ્રતાપથી ઉપર ઉપરની કેટલીક હકીકત હું માત્ર જાતે હતો. મારા ગુરૂઓ ઘણું કાબેલ હતા, બોલવામાં પણ ભારે કુશળ હતા છતાં પણ તેઓ મને સમ જ્ઞાન આપી શક્યા નહિ, વધારે ઊંડે મને લઈ જઈ શક્યા નહિ, મને ઝીણવટમાં ઉતારી શક્યા નહિ, કારણ કે તેવા વિશેષ જ્ઞાન માટે મારી યોગ્યતા થઈ ન હતી. એનું કારણ એ છે કે શ્રદ્ધા અને જ્ઞાનનું ખરું કારણ તે પિતાની ગ્યતા જ છે, ગુરૂઓ તે તેને અંગે માત્ર મદદગાર (નિમિત્ત) થાય છે, સાધન માત્ર બને છે. એ વાતનો તને દાખલ પણ આપે છે. આગળ જ્યારે હું ઘનવાહન હતો તે વખતે મારા મિત્ર અકલકે અને કેવિદાચાર્યગુરૂએ મને ઉપદેશ આપવા માટે ઘણા પ્રયત્ન કર્યો હતો. તેઓએ સેંકડે પ્રયત્નો કર્યા છતાં મારા ઉપર તેની સહજ પણ અસર થઈ ન હતી, મને શ્રદ્ધા પણ થઈ ન હતી. વળી બહેન! ત્યાર પછી અનંત વખત મારે સદાગમનો સંબંધ છે પણ તે વખતે હું શ્રદ્ધા વગરનો હતો, હું સદાગમની વાત સાચી જ માનત નહિ અથવા મને તેના તરફ ઉપેક્ષા રહેતી હતી. આટલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે પ્રાણીમાં જ્યારે જેટલી યોગ્યતા હોય ત્યારે તેટલો જ તેને ગુણનો લાભ થાય છે, તેટલા જ ગુણને તેનામાં. જન્મ થાય છે. ગ્યતા વગર ગુણપ્રાપ્તિ કે તેની વૃદ્ધિ થઈ શકતી નથી. આ પ્રમાણે કારણ હોવાથી ધર્મઘોષસૂરિએ તે ઘણે ઉપદેશ આપે, તેના પરિણામે મને માત્ર શ્રદ્ધા જ થઈ, સૂક્ષ્મ જ્ઞાન વગરની પણ સાચી શ્રદ્ધા થઈ, કારણ કે મારી તે વખતે એટલી જ ગ્યતા હતી. ૧ પ્રાથમિક સ્થિતિમાં એ શ્રદ્ધાની કેટલી જરૂર છે તે આ ઉપરથી સમજાશે. શ્રદ્ધાને સ્થિર રાખનાર જ્ઞાન છે પણ શ્રદ્ધા (દર્શન) વગરનું જ્ઞાન અજ્ઞાન છે એ સર્વમાન્ય સૂત્રોને અહીં સાક્ષાત્કાર થશે. બહુ લક્ષ્ય રાખીને રહસ્ય વિચારશે. આ પ્રગતિના માર્ગો બહુ વિચારવા યોગ્ય છે, એનો ક્રમ બહુ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. ૨ ચાલ પ્રસ્તાવ, ઘનવાહનને ભવ. જુઓ પ્રકરણ ૧૨ મું અને ૧૪ મું. ૩ એકલી ઓધ શ્રદ્ધા થાય તે પણ ઓછી વાત નથી. સંસારીજીવની દૃષ્ટિ ઘણી ઊંચી છે એટલે એ તો શ્રદ્ધા સાથે માત્ર’ શબ્દ વાપરે છે, બાકી એથી એકડો થાય છે અને સંસાર પરિમિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy