SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭] પ્રગતિને માર્ગે. ૧૮૨૯ રાખવું; ખોટા વિચારે કે અગડંબગડે બેલવા રૂપ વચનજાળનો “સર્વથા ત્યાગ કરવો; ભગવાનના કેઈ પણ વચનનો ઊંડે સાર શો છે તે શોધી કાઢ; રાગ દ્વેષ મોહ વિગેરે દોષનો ટેળાંઓને બરાબર ઓળખી લેવા, સુગુરૂના સાચા ઉપદેશ રૂપ ઔષધને ગ્રહણ “કરવું; તે ઔષધોનો ઉપયોગ કરવા ઉપર નિરંતર મનને લગાડવું; “દુર્જન માણસોએ કહેલાં-પ્રરૂપેલાં છેટા મતનાં વચને તિરસ્કાર “કરે; મહાપુરૂષના વર્ગમાં પિતાની જાતને સરખાવવી અને તદ્દન “સ્થિર ચિતે રહેવું.” સમ્યગ્દર્શન આગમન. આ પ્રમાણે મહા તપસ્વી ભગવાન ધર્મશેષ મહારાજ મધુર સ્વરે બોલી રહ્યા હતા તે વખતે સમ્યગુદર્શન સેનાપતિ ત્યાં આવી પહોંચ્યો. બહુ મુશીબતે ભેદી શકાય એવી આકરી કર્મની ગ્રંથિના ભેદ દ્વારા મેં તેને જોયે, એ ગ્રંથિ ભેદરૂપ દુરબીનથી મેં એને દૂરથી તપાસી લીધે, અવેલેકી લીઘો એટલે એ દર્શનના પ્રભાવથી મુનિમહારાજે જે જે વચનો કહ્યાં તેના ઉપર રૂચિપૂર્વક શ્રદ્ધા થઈ અને વળી એ સેનાપતિ મારે ખરે બંધુ છે એવી બુદ્ધિથી મેં એને આદર કર્યો, મેં એને વધાવી લીધે. મુનિ મહારાજ ધર્મષને મેં જવાબમાં તે વખતે કહ્યું “નાથ ! આપ જે હુકમ કરો છો-ફરમાવી રહ્યા છો તે સર્વ હું કરીશ.” આ પ્રમાણે કહીને તે મુનીશ્વરને વંદના કરી હું મારે ઘરે ગયે. જ્ઞાન પ્રગતિ અને અધિકાર, ગુરૂમહારાજની નિમિત્તતા, ગુભવ યોગ્યતાનુસાર, હવે હું સમ્યગદર્શનયુક્ત થયે, મારી સાથે સમ્યગદર્શન રહેવા લાગે અને તેને લઈને તત્ત્વશ્રદ્ધા મને થઈ અને તેથી મારો આત્મા પવિત્ર થયો. છતાં મારે તને જણાવવું જોઈએ કે તે વખતે હું ખાસ જ્ઞાનથી રહિત હતો એટલે કે મને શ્રદ્ધા હતી પણ કઈ વિશિષ્ટ જ્ઞાન મારામાં નહતું; તેથી વાત એ બની કે મારામાં ઓઘ શ્રદ્ધા વધારે હતી. “જિનંદ્ર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે, વગર ૧ મતલબ તે વખતે મને ગ્રંથિભેદ થયો. (૨ તત્ત્વશ્રદ્ધાઃ તીર્થંકર મહારાજે બતાવેલા નવતત્વની રૂચિ. શ્રદ્ધા અને જ્ઞાનનો સંબંધ કેવો છે તે અન્ન જણાશે. શરૂઆતમાં વિશિષ્ટ જ્ઞાન વગરની શ્રદ્ધા કેટલો લાભ કરે છે તે પણ ખાસ વિચારવા ચોગ્ય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy