SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] રખડપટે. ૧૮૨૫ સબેધ–સેનાપતિરાજ! અત્યારે એ વિદ્યાનો અવસર નથી, એને અત્યારે સાથે લઈ જવામાં લાભ નથી તેનું કારણ સાંભળે એ સંસારીજીવ હજુ ભેળે છે, કાચો , તેથી એ તને અત્યારે સારી રીતે ઓળખી ન શકે. અત્યારે તો એ સામાન્ય રીતે જ તને અંગીકાર કરશે. જ્યાં સુધી એ સંસારીજીવ તારું તાવિક રૂપ ન જુએ, રૂપ જોઈને જ્યાં સુધી તને એ બરાબર ધારણ ન કરે ત્યાં સુધી વિદ્યા કન્યા એને ન દેવાય. હકીકત એવી છે કે આપણે હજુ એના કુળ અને શીળને જાણતા નથી, આપણે હજુ તેની સાથે પાકે પરિચય નથી; અને એ મૂર્ખાઈ કરીને કદાચ દીકરી વિદ્યાનો પરાભવ કરે, એને મારે કૂટે કે એની સાથે પૂરતો સંબંધ ન રાખે તે મારા જેવાને એ હકીકતથી ઘણે સંતાપ થાય માટે હાલ તે વિદ્યાને સાથે લીધા વગર જ તેની પાસે જા. યોગ્ય વખત થયા પછી એ તારું રૂ૫ બરાબર ૫રખશે. જ્યારે એ તને બરાબર પરખશે અને એના ધ્યાનમાં તારું સાચું રૂપ આવી જશે ત્યારે વિદ્યાને સાથે લઈને હું ત્યાં તારી પાસે આવીશ. અત્યારે સંસારીજીવને સદાગમનું સનાથપણું મળ્યું છે, મહામહાદિથી એને જરા નરમાશ મળી છે અને સુખના સ્વાદનું જરા વેદન (ઉપભેગ) થયું છે, તેમજ વળી એ દેવ (ચારિત્રધર્મરાજ ) તરફ કાંઈક સન્મુખ ભાવવાળે થયે છે, એને દેવના દર્શનની ઈચ્છા થઈ આવી છે, તેથી અત્યારે તે વિદ્યા કન્યા વગર જઇશ તે પણ ઘણો લાભ છે. માટે હાલ તે ભાઈ સમ્યગ્રદર્શન ! તું એકલે જ જા.” સમ્યગદર્શન-“જેવી પ્રભુની આજ્ઞા ! અને સધ ભાઇની સલાહે ! ” આ પ્રમાણે અવસરે વિઘાકન્યાને લઈ આવવાનો સંકેત કરી યોગ્ય વિચારણાને પરિણામે મહારાજાના આદેશથી અને મંત્રીની સલાહથી સમ્યગદર્શન મારી પાસે આવવા સારૂ નીકળી પડ્યો. ૧ લશ્કરી ખાતું પણ છેવટે સિવિલિયન (દિવાની) ખાતાના હાથ નીચે રહીને જ કામ કરે તે યોગ્ય છે તેનું આ જવલંત દૃષ્ટાંત છે. ૨ આખું વાકય ઊંડા ભાવવાળું છે. વિચારશે. સંકેત સ્પષ્ટ થઈ ગયો છે, અર્થ વિચારવાથી બેસી જશે. આખું વાકય શ્લેષથી ભરપૂર છે. તાવિક રૂપ એટલે સમ્યગદર્શનને વાસ્તવિક અનુભવ-દ્રવ્યથી નહિ પણ ભાવથી. આ ઉપરથી એમ જણાય છે કે પ્રથમ સમ્યગ્દર્શન થયા પછી સમ્યગજ્ઞાન થાય છે. એથી ઉલટો દમ શકય છે કે નહિં એ વિચારણીય છે. ૩ પ્રગતિના માર્ગ હવે વધતા જવાનું થાય છે. એના એક એક પગથી આ વિચારવા યોગ્ય છે. એમાં દોડાદોડી નકામી છે અને ધમાલ હાનિકર્તા છે. આખી કથાના સાધ્યનું દર્શન કરાવવાની હવે શરૂઆત થાય છે અને તેને અંતિમ ભાગ આવતા પ્રસ્તાવના અંત સુધી ચાલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy