SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ ] રખડપાટા. ૧૮૨૧ જ્યારે હું જીવનપતિમાં ગા ત્યારે વળી પાછેા હું સદાગમને વીસરી ગયા અને એ પણ પેાતાના અવસરની રાહ જોતાં મને છેડીને થોડો વખત મારી પાસેથી દૂર ચાલી ગયા અને રાહ જોવા લાગ્યા. એ વખતે હું માટી ઋદ્ધિવાળા દેવ થયા અને દાઢ પક્ષેપમ કાળ ત્યાં સુખમાં રહ્યો, આનંદમાં પડી રહ્યો અને લીલા લહેરમાં મશગૂલ થઇ ગયા. માનવાવાસમાં બંધ નામે, સુંદરમુનિ અને સદાગમ, દ્રવ્યમુનિષણાની પ્રાપ્તિ, જ્યારે ઉપર જણાવેલા કાળ પૂરો થયા ત્યારે મારી ભાર્યાં ભવિતવ્યતાએ મને એક નવી ગાળી આપી અને મને માનવાવાસ નગરે અહીંથી ઉપર સાત રાજલેાક છે. તેમાં પ્રથમ ૯૦૦ ચેાજન સુધીમાં જ્યાતિષનાં સ્થાને છે. મનુષ્ય લેાકથી એક રાજ ઉપર જઇએ આવે ત્યારે દક્ષિણ દિશાએ સાધર્મ દેવલેાક અને ઉત્તર દિશાએ ઇશાન દેવલાકના જોટા આવે છે. ત્યાર પછી એક રાજ ઉપર જતાં દક્ષિણે ત્રીજું સનત્કુમાર અને ઉત્તરે ચેાથું માહેંદ્ર દેવલાક આવે છે અને એ બેને જોટા છે. એક રાજ ઉપર પાંચમું બ્રહ્મ દેવલેાક છઠ્ઠું લાંતક દેવલેાક, સાતમું શુક્ર દેવલેાક અને આઠમું સહસ્ત્રાર દેવલેાક એક એકની ઉપર છે. ત્યાર પછી કેટલાક ઊંથા જઇએ ત્યારે દક્ષિણ ઉત્તર અનુક્રમે આનત નવમું અને પ્ર!ણત દશમું દેવલેાક જોડલે છે. ત્યાર પછી વધારે ઊંચા જઇએ ત્યારે દક્ષિણ ઉત્તર અગીઆરનું આરણ્ય અને ખારમું અચ્યુત દેવલેાક્ર જોડલે છે. આ સર્વ દેવલેાકમાં રહેનારા દેવા ૫સ્થ છે. પ્રથમના આઠે દેવલેાકના એક એક ઇંદ્ર છે, નવમા દશમાને એક અને અગિઆરમા બારમાના એક એ પ્રમાણે બાર દેવલાકના દશ ઇંદ્ર છે. (એ રીતે ભુવનપતિના ૨૦, જંતરના ૩૨, જ્યાતિષીના ૨ અને બાર દેવલેાકના ૧૦ મળી કુલ ૬૪ ઇંદ્ર થાય છે. આ સર્વ દેવા તીર્થંકરનાં જન્માદિ વખતે મહેાત્સવમાં ભાગ લે છે તેથી સ્થ કહે વાય છે. એ મહાત્સવ સંબંધી હકીક્રત માટે જીએ વિષ્ટ રાજ્યની હકીકત અને તે પર નેટ ( પ્ર. ૬. પ્ર. ૧૫). ખાર દેવલેાક ઉપર નવ ગ્રેવેચક આવે છે અને તેની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. એમાં રહેનારા દેવા કલ્પાતીત છે. પ્રથમના બે દેવલેાની તથા ત્રીજા ચેાથાની અને પાંચમા છઠ્ઠાની નીચેની ભૂમિમાં કિવિષિયા દેવા રહે છે તેના તે રીતે ત્રણ પ્રકાર છે. અને પાંચમા દેવલેાકમાં નવપ્રકારના લેાકાંતિક દેવા રહે છે. આ લેાકાંતિક દેવા પ્રભુના દીક્ષા સમય પહેલાં તીર્થં પ્રવર્તાવવાની ભગવાનને વિજ્ઞપ્તિ કરે છે. ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy