SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ કરતાવહ રહે છે. હું એ ચાર પૈકીના પહેલા પાડામાં ભુવનપતિ દેવ થયો અને મારી વિબુધ (દેવ) તરીકે વિખ્યાતિ થઈ. હું એ જાતિને કુળપુત્ર થશે. યા દેવગતિ. એના મુખ્ય ચાર ભેદ છેઃ ભુવનપતિ, વ્યંતર, કોતિષ્ક અને વૈમાનિક. એ પ્રત્યેકની ઉપયોગી સામાન્ય હકીકત નીચે પ્રમાણે છે. (૧) ભુવનપતિઃ એના દશ પ્રકાર છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમા૨, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. પ્રથમ નારકીનું પૃથ્વીદળ ૧૮૦૦૦૦ યોજનાનું છે તેમાં ઉપર નીચે હજાર હજાર યોજન મૂકી બાકીના ૧૮૦૦૦ યોજનમાં તેર પાથડ છે ને બાર આંતરા છે. તેમાંથી ઉપર નીચેના બે આંતરા મૂકી બાકીના દશ આંતરામાં એ દેવો રહે છે. એ દશ નિકાયના ઉત્તર દક્ષિણના બે બે વિભાગના બે બે ઇંદ્રો છે. તે રીતે તેમના ૨૦ ઈંદ્ર છે. (૨) વ્યંતરઃ આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતર છે. આઠ વ્યંતરપિ. શાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહારગ અને ગંધર્વ. આઠ વાણવ્યંતરો: અણપન્ની, પશુપજી, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, કેહંડ અને પતંગ. આ પ્રથમ પૃથ્વીમાં ઉપરના એક હજાર જનમાં સો સો યજન મૂકી બાકીના ૮૦૦ યોજનમાં તરે રહે છે. એ આઠે નિકાયમાં ઉત્તર દક્ષિણનાં દાં જુદાં સ્થાન છે તે પ્રત્યેકના જુદા જૂદા ઇંદ્રો છે તેથી વ્યંતરના ૧૬ ઇદ્રો છે. ઉપરનાં ૧૦૦ યોજન મૂકયાં તેમાંથી ઉપર નીચેના દશ દશ યોજન મૂકતાં વચ્ચેનાં ૮૦ યોજનમાં વાણવ્યંતરનાં સ્થાન છે અને તેમાં પણ ઉપરોક્ત રીતે ઉત્તર દક્ષિણના થઈ ૧૬ ઇંદ્ર છે. આવી રીતે વ્યંતરોના ૩૨ ઇદ્રો છે. (૩) તિષી દેવો: ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારા. એ પાંચ ભેદ છે, પ્રત્યેક વળી ચાર અને સ્થિર એમ બે પ્રકારના છે. મેરૂ નીચે સમ ભૂમિથી ઉપર સાતસે નેવું જન ઉપર તારાનાં વિમાને છે, પછીના દશ અને સૂર્યનું વિમાન છે, પછીના એંશી જિને ચંદ્રનું વિમાન છે, પછીના ચાર યોજને નક્ષત્રનાં વિમાનો છે, ત્યાર પછીના સેળ જનમાં ગ્રહોનાં વિમાને (૪ બુધ, ૩ શુક, ૩ બ્રહસ્પતિ, ૩ મંગલ, ૩ શનિ,) છે. અઢી દ્વીપરૂપ મનુષ્ય ભૂમિમાં એ વિમાન ચર છે, ત્યાર પછીનાં ચંદ્રાદિ સ્થિ૨ છે. સૂર્ય અને ચંદ્ર બે ઇંદ્ર છે. (વ્યક્તિ ગતે તે અસંખ્ય છે પણ સંખ્યામાં તે બે ગણાય છે.) ઉપર જણાવ્યું તે રીતે ૭૯૦ જનથી ૯૦૦ જન સુધીમાં જ્યોતિષીઓનાં વિમાને છે. આ ત્રણે પ્રકારના દેવ તીર્થંકરનાં ક૯યાણના મહોત્સવમાં ભાગ લે છે. (૪) માનિક દેવોમાં તીર્થકરનાં જન્માદિ મહોત્સવમાં ભાગ લે છે તે કપ અથવા કો૫૫ન્ન કહેવાય છે; અને એ રીતે ભાગ લેતા નથી તે કપાતીત કહેવાય છે. પ્રથમ કલ્પસ્થની વાત કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy