SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ ] મહામેાહનું મહાન આક્રમણ. ૧૮૧૫ નથી. અરે હું મરી ગયા ! મરી ગયા ! આવી રીતે ધનની મૂર્છાથી હું પીડા પામતા હતા, મનમાં ત્રાસ પામ્યા કરતા હતા. એવી રીતે નારકી જેવા એ કેદખાનામાં મારાં પાપકર્મથી ઘણા વખત રહ્યો અને શારીરિક અને માનસિક વ્યથાઓ છતાં ન સમજ્યા. પાર વગરની ભાગવી. આટલું છતાં મ્હેન અગૃહીતસંકેતા ! તને એક મુદ્દાની વાત કહી દઉં. હું એટલા લાંબા વખત કેદખાનામાં રહ્યો અને ત્યાં મેં અનેક પીડા સહી તે સર્વ વાત મહામેાહ મહારાજા અને તેમાં પરિવારના દાષથી ખમી હતી છતાં મને સંસાર ઉપરથી જરા પણ રાગ ઘટ્યો નહિ, મને સંસારને કંટાળા આવ્યા નહિ, મારી સંસારપરથી વાસના ઉડી નહિ, મેં તેા કેદખાનામાં બેઠા બેઠા પણ બીજા ઉપર ક્રોધ કર્યો, મનમાં અનેક પ્રકારનાં રોદ્ર ધ્યાના યાયાં, વૈરની વિચારણા કરી, બદલા લેવાના તુચ્છ માર્ગોની કલ્પનાસૃષ્ટિ બાંધી. આખરે મને મળેલી તે ભવ સંબંધી ગાળી પૂરી થઇ જવા આવી, જીર્ણ થઇ જવા આવી અને મારી ભવિતવ્યતા સ્રીના આદેશ થયા; એટલે હું પાપિનિવાસના સાતમે પાડે ગયા અને ત્યાં મારી સ્ત્રી ભવિતવ્યતાના પ્રભાવથી હું પાપિ( નારક )નું રૂપ બનાવીને રહ્યો. Jain Education International For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy