SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રસ્તાવ ૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. મેહરાયના કુટુંબથી તદ્દન મુક્ત થશે, ભવિતવ્યતાને છોડી દેશે અને નિરંતર આનંદમાં મગ્ન થશે. પૃ8, ૨૦૨૩-૨૦૩૩. પ્રકરણ ૧૯ મું-આગમને સાર. સંગ રંગમાં રંગાયેલી સલલિતાએ ત્યાર પછી આકરાં તપ આદર્યો. કનકાવળિ, મુક્તાવાળ, સિવિક્રિડિત તપે, ભદ્રા વિગેરે પડિમાઓ, વર્ધમાન આયંબિલ તપ અને બીજા અનેક તપ કરી એણે કર્મોને બાળ્યાં. પુંડરીક ગીતાર્થ થયા. સમંતભદ્રને એણે એક વખત દ્વાદશાંગી આગમને સાર શું છે તે પૂછવું. આચાર્યે કહ્યું કે સારમાં દયાનયોગ છે, તેને માટે મન:પ્રસાદ સાધવો જોઈએ અને તે માટે અહિંસાદિ અનુષ્ઠાને ઠરાવેલાં છે. એટલે અનુછાને એ ધ્યાનનાં અંગ છે વળી પુંડરીકે કહ્યું કે “અગાઉ હું ઘણને મોક્ષને આપે તેવા તત્ત્વસંબંધી પૃચ્છા કરતો હતો તેના જવાબમાં તે કોઈ બુદ્ધિને લેપ ન કરવાનું કહેતા, કઈ મહેશ્વર સ્મરણની વાત કરતા, કઈ વિષ્ણુસ્મરણની ભલામણ કરતા, કોઇ નાડિને સાધન કહેતા, કોઈ બિદની ઘટના કહેતા વિગેરે વિગેરે અનેક સાધન બતાવતાં, તો મહાત્મા! આપે દયાનયોગને દ્વાદશાંગીના સાર તરીકે ગણાવ્યો અને બીજા પણ તેને મળતીજ વાતો કરે છે. ત્યારે પછી એમાં વાંધો છે ? તફાવત કયાં પડવો ?” આચાર્યું કહ્યું એના ખુલાસા માટે એક વાર્તા કહું તે સાંભળ. પૃષ્ઠ. ૨૦૩૪-૨૦૪૨. પ્રકરણ ૨૦ મું-વૈદ્ય કથાનક-ઉપનય. આચાર્યો વાર્તા કહી. એક નગરમાં એક સાચે વૈદ્ય હતો. એને દિવ્ય જ્ઞાન હતું. એણે સંહિતાઓ બનાવી હતી. નિપુણ્યક લોકો એની વાત માનતા નહિ. એ વૈદ્ય વ્યાખ્યાન આપતો. એને ઉપકૃતિ દ્વારા સાંભળી કેટલાક ધૂતારાઓ નવી સંહિતા બનાવવા લાગ્યા. કેટલાંક વચને તેમણે સાચાં વૈદ્યનાં લીધાં અને કેટલાંક પોતાનાં ઘુંસાડવ્યાં. આથી પેલા ઊંટ વૈદ્યો પણ મહાવૈધ તરીકે ઓળખાવા લાગ્યા. છેવટે સાચા ખોટામાં ઘણી ઇંચ ઊભી થઈ. ઊંટ વૈવો કોઈ વાર કોઈને સારા કરતાં તે તેટલા પૂરતું સાચા વૈદ્યની દવાનું અનુકરણ હતું. કેટલાક તો પોતાની બુદ્ધિ ઉપર જ ચાલ્યા અને સાચા - ઘની દવા લીધી જ નહિ. આવા ઘણું ફાંટાઓ ચાલ્યા. સંપૂર્ણ રેગનાશ તો સાચા વૈદ્યની શાળામાં જ રહ્યો, કારણ કે એને નિદાનનું પાકું ભાન હતું. ઉપનય. સાચા વૈદ્ય તે સર્વજ્ઞ પરમાત્મા. બીજી શાળાઓ તે સાંખ્યાદિ આરિતક શાળાઓ. રોગીઓ તે કર્મ રોગથી પીડાતા સંસારી છો. ચિકિત્સા કર્મરેગની. જૈન દર્શનની વ્યાપકતા એની ચોખવટમાં છે. (સમંતભદ્રાચાર્ય કહે છે) આગલા પ્રકરણના સવાલના જવાબમાં કહેવાનું કે સર્વ તીર્થોમાં અંશ સત્ય છે, કારણકે એ સર્વ સર્વજ્ઞ દર્શનનાં ઝરણાં છે. માત્ર વાત કરનારા ધ્યાન કરે તે કહેવા માત્ર છે. મળશુદ્ધિ આરંભાદિથી મૂકાયે જ થાય છે. ઉપાધિરહિત હોય તે ધ્યાન ગદ્વારા મેક્ષને સાધે છે. સાચા વૈદ્યને સંમત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy