SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮] તૃતીય વિભાગ-કથાસાર, ગયા અને છતાં એ સમજી નહિ તેથી તેને અગૃહીતસંકેતા કહી. વળી અધમ આલિશની નીચતા યાદ આપી, મનીષીનાં વચને સ્મરણમાં આણ્યાં અને વિમળ અકલંકની વાતા તાછ કરી. છેવટે કહ્યું કે તું પેાતે જ મદનમંજરી. નિર્મળાચાર્યે કહેલા આખા સંસારપ્રપંચ યાદ આપ્યા. સંસારનાટકનાં વિવિધ રૂપા સંભાર્યા અને પછી વૈરાગ્ય ન થાય તા ભારે નવાઇની વાત એમ પણ ખેાલી ગયા. છેવટે ખરાખર વિચાર કરવા અને મેહમાં ન પડવા એને આગ્રહ કર્યો. પુંડરીક આ સર્વ વાત સાંભળી રહ્યો હતા. એને મૂર્છા આવી ગઇ. પછી એણે જણાવ્યું કે કુલંધર પેતે જ હતા એ વાત હવે તેના સ્મરણમાં આવી ગઇ છે . ભવપ્રપંચ વિચારતાં એની વૃત્તિ પણ દીક્ષા લેવાની થઇ છે અને તે માટે તેણે પિતામાતાની રજા માગી. માતા રડવા લાગી, પણ પિતાએ તેને ઠેકાણે આણી અને શ્રીગર્ભ રાજા અને કમલિની રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા. ૩૭ આમ બાજુમાં બેસી વાત સાંભળનાર પુંડરીક વૈરાગ્યરંગે રંગાણા અને પેાતે તે। એવીને એવી જ રહી એ વિચારથી સુલલિતાને શાક થયેા. એ આટલી પછાત કેમ છે એને ખુલાસા કરતાં અનુસુંદરે જણાવ્યું કે મદનમંજરીના ભવમાં દીક્ષા લીધા પછી તે પ્રમાદમાં પડી ગઇ હતી, કાંઇક ઊંધ ઉપર રાગ થયા હતા અને અભ્યાસ ઉપર અરૂચિ થઇ હતી. આ કારણ જાણ્યા છતાં પણ અસર ન થઇ એટલે સદાગમનું શરણ લેવા તેને કહ્યું. સદાગમ તરફના ભક્તિભાવથી એનામાં સંવેગ અગ્નિ જાગ્યા, કર્મનું જાળું તૂટયું અને સર્વ ભાવે! એણે નજરે જોયા. અહીં સદાગમની ભક્તિનાં શુભ ફળેા ઉપર અનુસુંદર વિવેચન કર્યુ અને ગુરૂની નિમિત્તકારણતા બતાવી. સુલલિતાને દીક્ષા લેવાના ભાવ થયા પણ માબાપની રજા વગર દીક્ષા ન લેવાના નિર્ણય અગાઉ કર્યો હતા તે જણાવ્યો. પૃષ્ઠ. ૨૦૦૮-૨૦૨૨. પ્રકરણ ૧૮ મું-સાતની દીક્ષા, અનુસુંદરની પ્રગતિ. આ વાત ચાલતી હતી ત્યાં સુલલિતાના પિતા મગધસેન અને માતા સુમંગળા આવી પહોંચ્યા. દીકરી સુલલિતાને બન્નેએ સમાચાર પુછ્યા અને ચક્રી અનુસુંદરને નમન કર્યું. દીકરીએ દીક્ષા લેવાની રજા માગી. રાજા રાણીના ભાવ પણ વધ્યા. પેાતે પણ દીક્ષા લેવા ઉજમાળ થયા. મગધસેન રાજાએ રનપુરનું રાજ્ય પુરંદર (અનુસુંદરના પુત્ર )ને આપ્યું. અનુસુંદર ચક્રી, શ્રીગર્ભ, કમલિની અને પુંડરીક તથા મગધસેન સુમંગળા અને સુલલિતા એ સાતેએ તે વખતે દીક્ષા લીધી. તે જ રાત્રે અનુસુંદર ધ્યાનારૂઢ થયા અને કાળ કરી સર્વાર્થસિદ્ધે દેવ થયા, તેમના મૃત દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પેાતાના ઉપકારી અનુસુંદરના દેહવિલયથી સુલલિતાને ધણા ખેદ થયેા. સમંતભદ્રસૂરિએ એને શેાક દૂર કર્યો અને મરણ ભય ન રાખવા પર તાત્ત્વિક વિવેચન કર્યું. વળી કહ્યું કે દેવ તરીકેનું આયુષ્ય પુરૂં કરી અનુસુંદરી અમૃતસાર થઇ ધર્મારાધન કરરો, દીક્ષા લઇ એ ક્ષાંતિ આદિને બહાર પાડશે, ધૃતિ વિગેરેને ખરાખર પરણશે, છેવટે ક્ષપકશ્રેણી માંડી ધાતીકર્મને ક્ષય કરી સમુદ્ધાત કરી રોલેશીકરણ કરી અધાતી કર્મોને કાપી મેાક્ષ જશે, અનંત જ્ઞાનદર્શનમય થશે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy