SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૮ જવાબમાં ખુલાસા કરતાં ચારે કહ્યું કે પાતે જ ચક્રવર્તી અનુસુંદર છે, મહાભદ્રા તે પ્રજ્ઞાવિશાળા છે, સુલલિતા તે અગૃહીતસંકેતા છે અને સદાગમ તે આચાર્યકેવળી સમંતભદ્ર છે અને પુંડરીક તે ભવ્યપુરૂષ યા સુમતિ છે. પછી પાતે અંતરંગ ચારી કેવી રીતે કરી હતી તેની વિગત અનુસુંદરે સમજાવી. જણાવ્યું કે અનુસુંદર તરીકે એને જન્મ થયે ત્યારથી અંદરના શત્રુએ ભારે તેરમાં આવી ગયા હતા, પાતે પાપમાં રક્ત થઈ ગયા હતા, વિષયાસક્ત અને હિંસા મેાહમાં ચકચૂર થઈ ગયા હતા. આથી ચિત્તવિક્ષેપ મંડપ આપ્યા બરાબર બંધાઈ ગયા હતા. પાપ વધતાં એ હેરાન થયા અને પાપીપંજરમાં જવા યેાગ્ય થયા. ચક્રવતીની બાહ્ય સ્વારી એ એને વધસ્થાનકે લઈ જનારી સ્વારી જ હતી. એવા સ્વરૂપે પેાતે ચિત્તરમ ઉદ્યાન નજીક આવ્યા. આચાયૅ વાત કરી તે સાંભળી, મહાભદ્રા તેની પાસે ગઇ, એણે વાત કરી એટલે પેાતાને નરકગામી સમજી એ તુરત ચેતી ગયા. મહાભદ્રાને જાતિસ્મરણ જ્ઞાન થયું, ટુંકમાં એણે ચક્રવર્તીને બધી વાત કરી દીધી, ચક્રીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું અને પે।તે પુંડરીકને વસ્તુજ્ઞાન આપવા ચારસ્વરૂપ ધારણ કર્યું હતું-આ પ્રમાણે અનુસુંદરે ખુલાસા કર્યો. Jain Education International આ સર્વ વાર્તા અનુસુંદરે ત્રણ પહેારમાં પૂરી કરી અને પેતે મૌન રહ્યા. આ આખી વાર્તા અગૃહીતસંકેતા (સુલલિતા ), પ્રજ્ઞાવિશાળા ( મહાભદ્રા ), ભવ્ય પુરૂષ-સુમતિ(પુંડરીક ) સાંભળે તેમ સદાગમ ( સમંતભદ્ર) સમક્ષ સંસારીજીને (અનુસુંદરે) કહી સંભળાવી. પૃષ્ઠ. ૧૯૮૯-૨૦૦૪. પ્રસ્તાવ ૮-વિભાગ ૩ જો. મુખ્ય પાત્રાની સંપૂર્ણ પ્રગતિ (પ્ર. ૧૬-૨૨). પ્રકરણ ૧૬ સું-અનુસુંદર (ચક્રવર્તી-ચાર)નું ઉત્થાન. સુલલિતા વાર્તાનું રહસ્ય તે। સમજી નહિ પણ એને સંસારીજીવના આખા ચરિત્રમાં રસ ખૂબ પડચો. પુંડરીક જે ચૂપ હને તેણે ચક્રીને પૂછ્યું કે અત્યારે ચિત્તવૃત્તિમાં શું વર્તે છે એટલે ત્યાં ચારિત્રરાજને વિજય અને ચાતરમ્ મેાહાયની હાર કેમ થતી જાય છે એ એણે બતાવ્યું, અને પેાતાના દીક્ષા લેવાના ભાવ ચક્રીએ વ્યક્ત કર્યાં. એ વાત જણાવતાં ચક્રવર્તીએ પેાતાનું ચાર રૂપ ફેરવવા માંડયું અને અસલ સ્વરૂપે આવી ગયા. તે વખતે એના સેનાપતિ વિગેરે આવી પહોંચ્યા, પણ ચઢ્ઢીને તેા હવે એ સર્વ ત્યાજ્ય થઇ પડયું. એણે એ જ વખતે પેાતાના પુત્ર પુરંદરને રાજા તરીકે જાહેર કર્યો. તે વખતને યોગ્ય ધર્મ ક્રિયા કરવામાં આવી. શેખપુરના શ્રીગર્ભ રાજા ત્યાં તે વખતે અંત:પુર અને પરિવાર સહિત આવી પહોંચ્યા. પૃષ્ઠ. ૨૦૦૪-૨૦૦૮, પ્રકરણ ૧૭ મું-સુલલિતાને પ્રતિષેધ, અનુસુંદર ચક્રવર્તી મેાટી રાજ્ય ઋદ્ધિ છે।ડી દીક્ષા લેવા તૈયાર થયા એથી સુલલિતાને બહુ નવાઈ લાગી. અનુસુંદર ચક્રવર્તી એ તેને ઉદ્દેશીને તેના પૂરતા ભવપ્રપંચ ફરીવાર કહી સંભળાવ્યે; અસંખ્યવહાર નગરથી માડીને એને કેટલી વિડંબનાઓ થઇ હતી તે ક્રી યાદ કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy