SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮] તૃતીય વિભાગ-કથાસાર. ૩૫ પ્રકરણ ૧૪ મું—પુંડરીક અને સમંતભદ્ર. એ શંખપુર જ્યાં સર્વ એકઠા થયા હતા તેના રાન્ત શ્રીગર્ભ હતા. એની રાણી કમલિની તે મહાભદ્રાની માસી થાય. એ રાજારાણીને પુત્ર ન થાય. ઘણી માનતા માન્યા પછી ભવિતવ્યતાએ ગુણધારણના મિત્ર કુલંધરને ત્યાં મેાકલ્યા. રાણીને સ્વ× આવ્યું. પુત્રની આગાહી થઇ. આખરે પુત્ર જન્મ્યા. સમંતભદ્રને કેવળજ્ઞાન થયું હતું એમણે આ પુત્રને આગમના ધારણ કરનાર તરીકે જણાવ્યેા. એ નવા પુત્રનું નામ પુંડરીક પાડવામાં આવ્યું. ભેળી સુલલિતા ફરતી ફરતી સમંતભદ્ર કેવળી પાસે આવી ત્યારે કેવળી પેલા પુંડરીકના વખાણ કરી રહ્યા હતા અને ખેાલતા હતા કે અત્યારે એ બાળકને કર્મપરિણામ અને કાળપરિણતિએ ઉત્પન્ન કર્યો છે. સુલલિતાને સંદેહ થયા કે કર્મપરિણામ એ બાળકને પિતા કેમહેઇ શકે? અને આચાર્ય ભવિષ્યત્ ગુણાની વાત કેમ કરી શકે ? મહાભદ્રાએ કમઁપરિણામને સર્વના પિતા તરીકે જણાવ્યેા અને તે વાતનું રહસ્ય સમજાવ્યું. લેકમાં વાત કરનારને સદાગમ તરીકે એળખાવ્યા અને પુંડરીકના જન્મથી સદાગમને આનંદ થવાનું કારણ સમજાવ્યું. પછી મહાભદ્રાએ સુલલિતાને સદાગમ મહાત્મા સાથે પરિચય કરાવ્યેા. નવા બાળકને સાવધાન રહી તપાસવાની ભલામણ મહાભદ્રાને કરી કેવળી સમંતભદ્ર અન્યત્ર ગયા. આ ભાજી પુંડરીક વધતા ગયા. એને મહાભદ્રાપર ઘણા પ્રેમ હતા. એકદા સમંતભદ્ર ફરીવાર શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં પધાર્યાં. પુંડરીકે દૂરથી આચાર્ય કેવળીને જોયા એટલે આનંદ થયા અને એ કાણુ છે એમ સાધ્વી મહાભદ્રાને એણે પૂછ્યું. સાધ્વીએ લાભનું કારણ જાણી એ સદાગમ છે એમ કહ્યું. એ વખતે પુંડરીકને કેવળીમહારાજને રાજીખુશીથી સોંપી આપ્યા અને ભગવાનની પાસે પુંડરીકે આગમને અભ્યાસ કર્યાં. પૃષ્ઠ. ૧૯૮૩-૧૯૮૯. પ્રકરણ ૧૫ મું-ચક્રવર્તી-ચાર. સંસારીજીવ કહે છે કે એક વખતે એ જ ચિત્તરમ ઉદ્યાનમાં સમંતભદ્ર ઉપદેશ આપતા હતા, સામે મહાભદ્રા બેઠા હતા, ખાન્તુમાં સુલલિતા ખેઠી હતી, જરા દુર પુંડરિક ગુરૂવક્તવ્ય સાંભળતા હતેા, ત્યાં ચક્રવર્તીની સેનાને અવાજ રસ્તા ઉપરથી આવ્યા. આવે। મેટા અવાજ શેને હશે એવા સવાલ ભાળી સુલલિતાએ મહાભદ્રા પ્રાંતનીને પૂછ્યો. પ્રવૃતિનીએ કેવળી તરફ જોયું એટલે ઉપદેશની બરાબર તક જોઈ કેવળી ખેલ્યા ‘મનુજગતિમાં મહાવિદેહ ખજાર છે. તેમાં સંસારીજીવ નામના ચાર આજ મુદ્દામાલ સાથે પકડાયા. એને દુષ્ટાશય વિગેરે સિપાઇઓ કર્મપરિણામ રા પાસે લઈ ગયા. રાજાએ એને ફાંસીની સજા કરી. એને અત્યારે પાપીપંજરમાં ફાંસીએ લઈ જાય છે. વધસ્થાનકે લઇ જાય ત્યારે થતા આ શે।રબકાર છે.’ આવે। વિચિત્ર ખુલાસા સાંભળી સુલલિતા આશ્ચર્યમાં પડી. આચાર્યે એને અગૃહીતસંકેતાના નામથી ખેલાવી. વિચક્ષણ મહાભદ્રા આશય સમજી ગઈ અને જાણ્યું કે ચારને પેાતાના દર્શનથી છૂટવાનું બનશે. એટલે મહાભદ્રા ચક્રવર્તી પાસે આવી. ચક્રવર્તીએ ચારને આકાર ધારણ કર્યો. આચાર્ય પાસે આવ્યા એટલે સિપાઇએ બહાર રહી ગયા. આચાર્યે એને અભય આપ્યું. ત્યાં આવ્યા પછી ચારાકાર ધારણ કરનાર ચક્રવર્તીએ પેાતાનું આખું ચરિત્ર કહી સંભળાવ્યું. આવી રીતે વાતની પીફિકા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy