SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કા. પ્રસ્તાવ ૮–વિભાગ બીજો. સર્વ સંમિલન, ચેારાકાર ધારણ કારણ (પ્રકરણ ૧૨–૧૫). [ પ્રસ્તાવ પ્રકરણ ૧૨ સું-અનુસુંદર. અગૃહીતસંકેતા આખી વાર્તા ખરાખર સાંભળી રહી હતી. વાતો પૂરી થતાં તે ખાલી કે રખડપાટાનું કારણ આજ્ઞાવિરાધન પણ છે એમ તેને જણાય છે. સંસારીજીવે એ વાત માન્ય રાખી. પછી સંસારીજીને વાર્તા આગળ ચલાવી. ચારાકાર ધારણ કરવાનું કારણ કહેવા માંડયું. છેલ્લા ત્રૈવેચક્રથી ભવિતવ્યતા સંસારીજીવને મનુજગતિના મહાવિદેહ પાડામાં આવેલા સુકચ્છ વિજયમાં આવેલી ક્ષેમપુરીમાં લઇ આવી. યુગંધર રાજાની રાણી નલિનીએ ચૌદ સ્વસ જોયાં. જન્મ થતાં વધામણીએ દેવાઈ. એનું અનુસુંદર નામ પડયું. યાગ્ય અભ્યાસ એણે કર્યાં. આખા સુવિજયને સાધી અનુસુંદર ચક્રવર્તી થયા. એણે ૮૪ લાખ પૂર્વ રાજ્ય ભેાગળ્યું. એ અનુસુંદર ચક્રી ફરતા ફરતા એક વખત શંખપુર નામના પેાતાના તાબાના નગરમાં આવી પહોંચ્યા અને પેાતે લટાર મારતાં. લશ્કરને પછવાડે રાખી ચિત્તરમ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. પૃષ્ઠ. ૧૯૭૨-૧૯૭૮. પ્રકરણ ૧૩ શું–સુલલિતા અને મહાભદ્રા. હવે કેટલાક ખુલાસા પણ સંસારીજીવ પાતે જ કરે છે. અગાઉ જે ગુણધારણના ભવ વખતે કંદમુનિ હતા તે પણ સંસારમાં રખડવા એકવાર એણે માયાકપટ કર્યું એટલે ભવિતવ્યતા અને એ જ વિજયના હરિપુર શહેરમાં લઇ આવી. ત્યાં ભીમરથ રાજા અને સુભદ્રા રાણીને સમંતભદ્ર નામના પુત્ર હતા અને તેના ઉપર કંદમુનિના જીવને મૂકી પુત્રી અવતાર તે જ રાન્તને ધરે આપ્યા અને તેનું નામ મહાભદ્રા પાડવામાં આવ્યું. સમ્મતભદ્રે રાજકુમારે સુધાષ મુનિ પાસે દીક્ષા લીધી. એને યાગ્ય જાણી ગુરૂએ આચાર્યપદ આપ્યું અને એ સમૃતભદ્રાચાર્યના નામથી દુનિયામાં પ્રસિદ્ધ થયા. હવે ભીમરાથ રાન્તએ મહાભદ્રાને ગંધપુરના દિવાકર સાથે પરણાવી પણ એ તુરતમાં વિધવા થઇ. એણે સમતભદ્ર પાસે દીક્ષા લીધી અને ચેાગ્ય કાળે એને પ્રતિની પદ પ્રાપ્ત થયું, આ મહાભદ્રાની વાત થઇ. Jain Education International મહાભદ્રા સાધ્વી ફરતાં ફરતાં રતપુર (એ જ વિજયમાં) નગરે પહોંચ્યા. ત્યાં મગધસેનરાન્ત અને સુમંગળારાણીને ઘરે ગુણધારણની પત્ની સદનમંજરી હતી તે પુત્રી પણ અવતરી એનું સુલિલતા નામે પડયું. એને યૌવન વયે પુરૂષપર દ્વેષ થયા. મહાભદ્રા સાધ્વીએ દેશના આપી. એ મુગ્ધા ભાળી સુલલિતા કારણ સમજી શકી નહિ પણ એને મહાભદ્રા તરફ ઘણેા પ્રેમ થયેા. એણે ભગવતીની સેવા કરવા રહેવા ઇચ્છા જણાવી. રાજા રાણીએ પુત્રીમે।હુથી અનિચ્છાએ રજા આપી પણ શરત કરી કે તેમની રજા વગર તેનાથી દીક્ષા ન લઇ શકાય. એ વાત માન્ય થઇ. એ સાધ્વી સાથે ધણેા કાળ ફરી પણ જ્ઞાનાવરણીયને આકરી ઉદય હેાવાથી ભણેલું ભૂલી જાય અને એને પાઠ ચઢે નહિ એવી એની દશા થઇ. મહાભદ્રા સાધ્વી એક વખત ફરતાં ફરતાં શંખપુરનગરે આવી પહોંચ્યા. સુલલિતા તેની સાથે હતી પણ ગૃહથ વેશમાં હતી. આ સાધ્વી અને સ્ત્રીસમુદાય એ નગરના નંદશેઠને ધેર શાળામાં ઉતર્યાં હતા. આ સુલલિતાની વાત થઇ. પૃષ્ઠ. ૧૯૩૯-૧૯૮૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy