SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮] તૃતીય વિભાગ-કથાસાર. ત્યાં નિર્મળાચાર્ય પણ આવી પહોચ્યા. પછી ગુણધારણે તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે યોગ્ય મહોત્સવ થયે. સૂત્ર ભણ્યા. ઘણો કાળ સાધુ દશામાં ગાળી અંતે સેલેખના કરી પ્રથમ ગ્રેચકે ગુણધારણ દેવ થયા. ત્યાંથી સિહપુરે ગંગાધર થયો. દીક્ષા લઈ ચારિત્ર પાળી બીજે રૈવેયકે ગયે. અનુક્રમે મનુષ્ય થઈ પાંચે યકે જઈ આવ્યું. પૃષ્ઠ. ૧૯૪૦-૧૯૫૫. પ્રકરણ ૧૦ મું-ગૌરવથી અધઃપાત. ધાતકીખંડના ભારતના શંખનગ૨માં સંસારીજીવ સિહ નામે થયે. બાળવયમાં દીક્ષા લીધી. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વને અભ્યાસ કર્યો. સદાગમની કૃપાથી બહુ વિદ્વાન થયો. નાનપણમાં આચાર્ય પદે એની સ્થાપના થઈ. એની ખ્યાતિ ઘણી વધી પડી એટલે ભવિતવ્યતાને એના ઉપર છેષ થ. એણે મેહરાના લશ્કરમાંથી પાપોદય વિગેરેને બોલાવ્યા. પાપોદયને મોખરે મા, જ્ઞાનસંવરણ રાજાને અને મિથ્યાદર્શનને સંસારીજીવ નજીક મૂકયા, શૈલરાજ અને ગૌરવને પડખે ચઢવા કહ્યું અને પછવાડેથી આર્તાશય અને રૌદ્રાભિસધિને ઘેરે ઘાલવા ગોઠવણ કરી. બધી રીતની ધૂહરચના કરી દીધી. અહીં સિંહાચાર્ય અભિમાને ચઢથા, પોતે ઘણા જબરા છે એમ ભાન થયું, જાણતા છતાં ભૂલ્યો, સમ છતાં ન સમજે અને જ્ઞાનસંવરણને વશ પડી આખરે સાડાચાર પૂર્વ ભૂલ્ય. પછી પ્રમાદ પડયો, ગૌરમાં ફસાયે અને અનુષ્ઠાનોમાં શિથિળ થયો. એટલે પછી આર્ત રદ્ર થવા માંડ્યા અને કૃષ્ણાદિ ત્રણે બાળાઓએ પણ તેના ઉપર સામ્રાજ્ય સ્થાપન કર્યું. ચિત્તવિક્ષેપ મંડપ ફરીવાર બંધાઈ ગયો, વિપર્યાસ સિંહાસન ગોઠવાઈ ગયું અને ચારિત્રરાજના પરિવારને છુપાઈ જવાનો વખત આવ્યો. આવી રીતે સહાચાર્યને અધ:પાત થતે ચાલ્યો, પૃ. ૧૯૫૬-૧૯૬૩. પ્રકરણ ૧૧ મું-રખડપાટો. ગૌરવ, આર્તાશય અને કૃષ્ણાદિ ત્રણ સ્ત્રીએનાં સામટાં કાર્યથી શિથિળતા વધી. અંતે આયુવરાજ અને ભવિતવ્યતા મળી ગયા અને સિંહાચાર્યને એકાક્ષનિવાસ નગરે મોકલવા ગ્ય બનાવ્યું. પછી એ પુદુગળાનંદી થયે. સાચો માર્ગ વીસરી ગયા. આખરે એકાક્ષનિવાસ નગરે ગયે. ત્યાં ખૂબ રખડ. પછી પંચાક્ષપશુસંસ્થાને ફર્યો. વળી વિબુધાલયમાં ગયે અને ચારે તરફ ખૂબ રખડો એમ કરતાં માનવાવાસે આવ્યો. ત્યાં અનેક અજ્ઞાન તપ કર્યો. વળી વિબુધાલયમાં ગયો. એમ ખૂબ રખડ, ભટક, હેરાન થ, દ્રવ્ય દીક્ષા લીધી. એ સર્વ ભ્રમણનું કારણ સિહના ભવમાં કરેલી શિથિળતાઓ હતી અને તેનું અંતિમ કારણ તો જીવ પોતે જ હતો. આવી રીતે સંસારીજીવે બીજા પ્રસ્તાવના સાતમા પ્રકરણથી કહેવા માંડેલું ચરિત્ર પૂર્ણ કર્યું. પૃ. ૧૯૬૪-૧૯૭૧. સંસારીજીવ કથા સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy