SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧૨ ઉપમિતિ ભવપ્રપંચા સ્થા. [ પ્રસ્તાવ ૭ મારા ઉક્ત બંધુ નીરદવાહનને મળ્યા અને તેને જણાવ્યું કે “મુર બીશ્રી ! આપને ભાઈ રાજા ઘનવાહન અતિ તુચ્છ સ્ત્રીઓમાં રખવા લાગ્યો છે, પરસ્ત્રીમાં આસક્ત થઈ ગયો છે, એણે સર્વ માજા કે મર્યાદા મૂકી દીધી છે, એની બુદ્ધિ બહેર મારી ગઈ છે, અને એણે આપના, અતિ ઊંચા કુળને મહા દૂષણ લગાડ્યું છે; એ ખરેખરે કૂળખપણ છે, અત્યારે એ શ્વાન જેવો થઈ ગયો છે, જ્યાં ત્યાં હેઠું નાખે છે અને આવા મહાન રાજ્ય સિંહાસનને જરા પણ લાયક રહ્યો નથી; એ તો રાજ્યને ખરી રીતે ઓઈ બેઠે છે, એણે પોતાના વંશજોને હલકે પાડ્યા છે, માટે હવે એના વિનાશના સંબંધમાં વધારે વખત બેદર કાર રહેવું એ અમને કે આપણને જરા પણ ઘટતું નથી. એ તે અત્યારે વિનાશના કાંઠા ઉપર આવી ગયો છે, તદ્દન ખલાસ થઈ જવા આવ્યો છે અને આખરે જરૂર નાશ પામવાનો છે. વાત એમ છે કે આવી એની અધમતાની અને નીચતાની હકીકત આજુબાજુના દુશમન રાજાઓને જણાય નહિ ત્યાં સુધીમાં આપશ્રીએ રાજા થઈ જવું યોગ્ય છે. જે આપ એમ કરવામાં આનાકાની કે આગ્રહ કરશે તો એ તમારે ભાઈ પણ નહિ રહે, રાજ્ય પણ નહિ રહે, આ સંપત્તિઓ પણ નહિ રહે, અમે પણ નહિ રહીએ, આબરૂ પણ નહિ રહે અને આ નગર પણ નહિ રહે. તમને રાજ્યની ઈરછા કે ઈહા નથી, તમે રાજ્યના ભેગી નથી, એ અમે જાણીએ છીએ પણ અત્યારે પ્રજા સાથે રાજ્યધમે વિચારી વખતને યોગ્ય કાર્યો કરે.” સામંત કે અને મંત્રીઓ આવી રીતે યુક્તિપૂર્વક બોલ્યા, ઉપરની મતલબની વાત તેઓએ કરી અને મારા વર્તનના સંબંધમાં તેઓએ અંદર અંદર પણ ઘણું વાત કરી, ચર્ચા કરી અને એ વાત પર વિવેચનો થયાં. મારા ભાઈ નીરદવાહને પણ તેઓની ચેષ્ટા જોઈ લીધી અને તે સંબંધી વિચાર કરવા લાગ્યો. તે વખતે મારે મિત્ર પુદય જે મારા અતિ અધમ વર્તનથી કેટલાક વખતથી પાતળે થયા કરતો હતો, તેને પુણ્યોદય પોતાના મનમાં ઘણે ઉદ્વેગ થયો, મારી નીચતા હઠી ગયા. - વધતી જતી જોઈ અને હું જરા પણ રસ્તે આવતે નથી એવી મારી સ્થિતિ જોઈ એ આખરે પૂરે કંટાળે અને મને છોડીને ચાલ્યો ગયે. આવી રીતે પુણ્યમિત્રથી પરવાર્યો અને વળી મારું પાપ ઘણું વધતું ચાલ્યું, મારા ભાવશત્રુઓ (મહામહનાં સગાંઓ નાકરે અને મિત્રો) વધારે વધારે જોરમાં આવતા ગયા અને પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy