SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૬ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૭ શેક ત્યાર પછી શેક આવ્યો. કેઈ સગાસ્નેહીનાં મરણનું કારણ પ્રાપ્ત કરીને કે લડાઈ કે વ્યાપારમાં ધનના નાશ થવાનો પ્રસંગ પ્રાપ્ત કરીને શેકે મને અનેક પ્રકારની વિડંબના કરી. તે આવે ત્યારે મેહથી દુઃખ થાય, પણ સાચું જ્ઞાન થાય નહિ. જુગુસ્સા, ત્યાર પછી જુગુપ્સાબાઈ આવ્યા. એણે વળી પિતાના કામની જમાવટ એવી રીતે કરી કે જેમાં તેમાં મને દુર્ગછા આવવા લાગી. કાંઇ ગમે નહીં, ખરાબ જ લાગે, મારે આત્મા તત્ત્વમાગેથી તદ્દન દૂર જ રહે, અને એણે મારામાં સદસદ્વિવેકને અંગે એવી ખોટી માન્યતાઓ ઊભી કરી કે મારે આત્મા તદ્દન ઢંકાઈ ગયે, ડબાઈ ગયે, છૂપાઈ ગયો અને પરિણામે હું વિવેકી માણસને હસવાનું સ્થાન થઈ પડ્યો. ક્ષા , હેન ! મેં તારી પાસે અગાઉ એ વૃદ્ધ મહામહરાજનાં પૌત્રો અને રાજકુમાર રાગકેસરિના આઠ પુત્રોનું વર્ણન કર્યું હતું અને તેની સાથે જ શ્રેષગજેંદ્રના આઠ પુત્રોનું વર્ણન કર્યું હતું તે તને બરાબર યાદ હશે. એ સોળે છોકરાઓ દાદાના ખોળામાં તેફાન કરતા તે વખતે તે જોયા હતા. એ કષાય નામના બે છોકરાઓ પોતાના દાદા મહામહને મારી સમીપ જોઇને જે ધમાલ કરવા મંડી ગયા અને જે ત્રાસે મને તેમણે આપ્યા તે જે કહેવા બેસું તે તેને પાર આવે તેમ નથી. જ્ઞાનસંવરણ. - ત્યાર પછી મહામહ મહારાજાની પાસે જ્ઞાનસંવરણ મિત્રરાજ આવ્યા. એમણે મને લગભગ જ્ઞાનના પ્રકાશથી તદ્દન રહિત બનાવી દીધે, જ્ઞાન વગરને જાણે ભાવથી હેઉ તે કરી દીધે ! મારી વિચારણું બુદ્ધિ અને તર્ક વિગેરેની આસપાસ એ રાજાએ પડદા નાખી દીધા અને મારી મતિને ઘેરી લીધી. ૧ એ છોકરાઓના વર્ણન માટે જુઓ ક. ૪. પ્ર. ૧૧, ૨ જ્ઞાનસંવરણથી અંતરાય સુધીના મિત્રરાજાઓનાં વર્ણન માટે જુઓ મ. ૪ પ્ર. ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy