SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ હ મૂઢતા, વળી મૂઢતા નામની એ રાગકેસરિની ભાર્યા મારી પાસે આવી ત્યારે તે હું એને તાબે થઈ ગયે, એને વશ પડી ગયું અને તેની અને સરથી આ સંસાર દષ્ટ છે એ પણ મારા જાણવામાં ન આવી શકહ્યું, આ સંસારમાં કાંઇ અનિષ્ટ છે એવું મારું જ્ઞાન થઈ શકે તેની આસપાસ એ બાઈએ તે પડદો પાડી દીધો. છેષગજેન્દ્ર અને વળી એ મહામહ મહારાજાના બીજા ફટાયા કુંવર શ્રેષગજેન્દ્ર તો મારી પાસે કારણસર કે વિનાકારણ જ્યાં ત્યાં અપ્રીતિ ઉત્પન્ન કરાવી, મેટે ખટરાગ કરાવી દીધો અને ચારે તરફ સંતાપને અગ્નિ સળગાવી દીધું અને મને તે અપ્રીતિ અને સંતાપમાં ગરકાવ કરી દીધો. અવિવેકિતા, વળી જ્યારે એ ફટાયા કુમાર દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકિતા મારી પાસે આવી ત્યારે એણે તે ભારે અજબ વાત કરી. જ્યારે જ્યારે અમુક કાર્ય કરવા યોગ્ય છે કે નહિ તેની હું વિચારણું કરવા માંડું ત્યારે ત્યારે એવી નજીવી બાબતમાં તસ્દી ન લેવાનું એ મને વારંવાર કહેવા લાગી અને હું વિચારણું કરવા લાગી જઉ તે તેથી મને વારવા લાગી, અટકાવવા લાગી; એટલે કે તે મને કરવા યોગ્ય ન કરવા યોગ્ય બાબતને વિવેક કરવા દેતી નહિ. વિષયાભિલાષ.' રાગકેસરિના મંત્રીએ ત્યાર પછી ત્યાં આવીને મને શબ્દમાં રસ લેતો કર્યો, રૂપમાં આસક્ત કર્યો, રસમાં લુબ્ધ કર્યો, ગંધમાં રસીઓ કર્યો અને સ્પર્શમાં રત કર્યો અને તેમ કરીને તેણે તે મને તદ્દન પિતાને વશ કરી લીધો. એના તાબામાં પડીને હું ઇદ્રિના વિષયમાં આસકત થયે. ભેગતૃષ્ણા જ્યારે વિષયાભિલાષે મને ઇંદ્રિયોગમાં આસક્ત કર્યો ત્યારે તેની પતી ભેગષ્ણુએ પોતાના પતિને ઈષ્ટ વિષયમાં મને વધારે ફસાવ્યું ૧ જુઓ પ્ર, ૪, પ્ર. ૧૭. ૨ જુઓ સદર પૃ. ૮૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy