SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૩ પ્રકરણ ૧૫] મહાહનું મહાન આક્રમણ. પ્રત્યેક લશ્કરીકૃત બાધા વિગેરે મહામૃઢતા, તે વખતે મહામૃઢતાએ મારા ઉપર એવી અસર કરી કે જેથી તે ભવમાં મારા જે ભાવો વર્તતા હતા, તે વખતે મારી જે પરિસ્થિતિ વર્તતી હતી, તેમાં મને બહુ આસક્ત બનાવી દીધે, ગાઢ મૃત કર્યો અને અત્યંત લદબદ કર્યો. તેવી ગાઢ આસક્તિને પરિણામે હું સન્માગેથી ચૂક્યો, દૂર થે, નષ્ટ થે. મિથ્યાદર્શન, એ મહારાજાના સેનાપતિ મિથ્યાદર્શને ભને સદાગમથી દૂર કર્યો, છેવટે સદાગમનો ત્યાગ કરાવ્યું, ત્યાર પછી મારી બુદ્ધિમાં મોટો ભ્રમ ઉત્પન્ન કર્યો અને તેમ કરીને તેણે મને અનેક પ્રકારની બાધા પીડા કરી. કુદૃષ્ટિ, એ સેનાપતિની મહારાણું કુદષ્ટિએ મારી પાસે અનેક ભયંકર પાપ ઘણી વાર કરાવ્યાં અને તેમાં તેણે ખબિ એ કરી કે એ પાપ કરતી વખતે હું તે આ વખત એમ જ માનતો રહ્યો કે જાણે હું ખરો ધર્મ કરું છું. આવી રીતે મને સમજ ન પડે તેમ મારી પાસે અધોગતિનાં કારણે એ શ્રીમતી એ પ્રાપ્ત કરાવ્યાં. રાગકેસરિ, મહારાજના પાટવી રાગકેસરિએ શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શના વિષયે જે જાતે કોઇ પણે પ્રકારના સર વગરના છે અને જેની સાધુ પુરૂષો વારંવાર અનેક આકારમાં જુદી જુદી રીત નિંદા કરી રહ્યા છે તેના ઉપર મારા મનમાં પ્રીતિ ઉપજાવવાનું કામ કર્યું અને મારામાં માનસિક નિર્બળતા દાખલ કરી. ૧ મહામૂઢતાઃ એ મહામે, મહારાજની સૌભાગ્યવતી જાય છે. (પ્ર. ૪ પ્ર. ૧૨). ૨ મિથ્યાદર્શનઃ મોહરાને સેનાપતિ (પ્ર. ૪ પ્ર. ૧૨). કે કુદષ્ટિઃ સેનાપતિ મિચ્છાદનના અધે આસન પર બેઠેલી તેની ભાર્યા. જુઓ સદર પૃષ્ઠ ૮૫૮. ૪ રામકેસરિ મહાહને મોટો પુત્ર. હેપગચંદ્ર નાનો પુત્ર. મૂઢતા એ રાગકેસરિની ૫ત્રી છે અને અવિકતા છેષગર્જકને પની છે. (જુઓ પ્ર. ૪ પ્ર. ૧૩). ત્યાં એ ચારેનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy