SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ વાચાળ ન ગણી લેતી, મહામહની બાજી મંડાણી તે વખતે જે હકીકત બની તે હું તને ટુંકામાં જ કહી દઉ છું તે તું સાંભળીને સમજી લેજે, એ આખી વાર્તા તેને કહેવા માટે પૂર્વની કંઈક વાર્તા તને યાદ આપવાની જરૂર છે. તને યાદ હશે કે પૂર્વ વિમર્શ પ્રકર્ષ રસનાની શોધ કરવા ગયા ત્યારે તેઓએ ચિત્તવૃત્તિ અટવી જોઈ હતી, એ અટવીમાં પ્રમત્તત્તા નામની નદી હતી, એ નદીમાં વચ્ચે તદ્વિલસિત નામને રેતીનો બેટ (વોકેલો) હતા, એ બેટમાં વચ્ચે એક ચિત્તવિક્ષેપ નામને મંડપ બાંધવામાં આવેલ હતું, એ મંડપમાં લગભગ મધ્ય ભાગે એક તૃષ્ણ નામની વેદિકા (પ્લાટફેર્મ) તૈયાર કરવામાં આવી હતી અને એ વેદિકા ઉપર વિપસ નામનું સિંહાસન મૂકવામાં આવ્યું હતું એ વિપર્યાસ સિંહાસન પર મહામહ રાજા બેઠા હતા અને અવિદ્યા નામનું તેમનું શરીર હતું. આ સર્વ વાર્તા મામા વિમર્શ પિતાના ભાPજ પ્રકર્ષને જણુંવી હતી અને અગાઉ મેં તે તને વિસ્તારથી કહી સંભળાવી હતી–તે સર્વ તને યાદ છે કે નહિ? અગૃહતસંકેતાએ જવાબમાં જણાવ્યું કે તેને એ સર્વ વાતે બેરાબર યાદ છે. પછી તેણે વાર્તા આગળ ચલાવવા સંસારીજીવને કહ્યું. સંસારીજી વાર્તા આગળ ચલાવતાં કહ્યું–જે બહેન ! એ પ્રમાણે હકીકત છે તે પછી વળી વધારે યાદ કરીશ તે તારા સ્મર માં આવશે કે તે વખતે મામા વિમર્શ ભાણેજ પ્રકર્ષ પાસે વેદિક ઉપર બેઠેલા મિથ્યાદર્શન વિગેરે બીજા અનેક સેનાની વિગેરેનું વર્ણન કર્યું હતું, વળી તેની સેવા કરવાથી ખુશી રહેનારા બીજા અનેક રાજાઓ વિગેરે મંડપમાં હતાં તેનું પણ વર્ણન કર્યું હતું. એ રાજાઓ વિગેરે સર્વે પોતાના ભાઇભાંડું સ્ત્રી કુટુંબ પરિવાર અને નોકરચાકરને લઈને દરેકે દરેક મારી પાસે આવી પહોંચ્યા; કારણ કે એ સર્વને નાયક મહામહ તે વખતે મારી પાસે આવ્યો હતો. પરિણામે વાત એ થઈ કે મહામહ રાજાના પિતાના લશ્કરમાં તથા મદદનીશ રાજાઓને સહાય કરનારા લશ્કરમાં કઈ પણ એવું બાકી ન રહ્યું કે જેના વડે મારી સેવના ન થઈ હેય-જેણે આવીને મારી ઉપર પોતાની અસર બતાવી ન હોય. ૧ એ સર્વ વર્ણન પ્રસ્તાવ ૪ પ્રકરણ ૯ માં આવી ગયું. (જુઓ પૃ. ૮૦૨૧૭ એના વિગતવાર ખુલાસા તેજ પ્રસ્તાવના પ્રકરણ ૧૧ ની આખરે થઈ ગયા છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy