SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ, ૧૭૮૯ એવી વસ્તુઓ મેળવવા કે ભેગવવા માટે મન જ થતું નથી. એ નિરીહતા કન્યાને સોનાથી લલચાવી શકાતી નથી, જુદા જુદા પ્રકારના ભોગોથી એને આકર્ષી શકાતી નથી અને ચિત્રવિચિત્ર પ્રકારનાં રોના ઢગલા એને ખેંચાણ કરી શકતા નથી. જ્યાં કઈ વસ્તુ કે ચીજ, ભંગ કે ઉપગ તરફ વૃત્તિ જ ન રહી, પ્રેમ જ ન રહ્યો ત્યાં પછી એને આકર્ષણ કરી લેવાનું કે એને લોભલાલચમાં પાડવાનું કારણ જ ક્યાં રહ્યું? એ કન્યા સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં સર્વત્ર વંદ્ય છે, નમસ્કાર એગ્ય છે, એ મુનિઓને વહાલી હોઈ તેઓનાં મનને હરણ કરનારી છે, એ દુઃખોને નાશ કરનારી હોઈ તેને (દુઃખને) દૂર ફેંકી દેનારી છે અને જાતે ઘણી નસીબદાર છે. આવી સારી સુંદર અને લાવણ્યરસથી ભરપૂર કન્યાને જ્યારે એ ઘનવાહન પરણશે ત્યારે પેલે પરિગ્રહ નાશ પામશે, 'વિલયભાવને પામી જશે, નકામા જેવો થઈ જશે. એનું કારણ એ છે કે એ દુરાત્મા પરિગ્રહને પેલી નિરીહતા કન્યા સાથે ઘણે વિરોધ છે; એ પોતાના મનથી તે કન્યાને પિતાની દુમન ગણે છે. તેથી જે એ દુરાત્મા પેલી કન્યાને નજરે જુએ છે કે તરત જ અત્યંત ભયભીત થઇને વિલય પામી જાય છે.” લગ્નકાળ પર વિચારણા.. કર્મપરિણામને દાનાધિકાર, ત્યાર પછી ગુરૂને હેતુભાવ, અકલેકે આદરેલ નિરપેક્ષતા. અકલંક–“ભગવાન ! એ મહામહ અને પરિગ્રહને દળી નાખનાર એ બન્ને કન્યાઓનો ગ ઘનવાહનને ક્યારે થશે? એમનું ઘનવાહન સાથે લગ્ન ક્યારે થશે? કેવિદાચાર્ય–“વત્સ ! ઘણો વખત ગયા પછી એની પ્રાપ્તિ ઘનવાહનને થશે અને જે વખતે એની પ્રાપ્તિ થશે તે જ વખતે જરૂર તેઓનાં લગ્ન થશે.” અકલંક–“જે આપ સાહેબની આજ્ઞા હોય તો એ બન્ને કન્યાને યોગ હું ઘનવાહનને કરાવી આપું.” કેવિદાચાર્ય–“ભાગ્યશાળી ! એ કન્યાઓ પ્રાપ્ત કરાવવાનો તારા જેવાને અત્યારે અધિકાર નથી. એનો હેતુ એ છે કે કર્મપરિણામ નામને જે મહારાજા છે તેને જ એ બન્ને કન્યાઓ આપવાને અ ૧ વિલય શબ્દ બહુ અર્થસૂચક છે. એ મરી નહિ જાય પણ છવત મુવા જેવો થઈ જશે એ એમાં આંતર આશય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy