SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ. ૧૭૯૭ પરિવારને વશ રહીને વધારે વધારે નીચા ઉતરતા જાય છે. એવા પ્રાણીઓને દેશના આપવી એ તે બહેરાની આગળ જાપ કરવા જેવું છે,' આંધળાની પાસે નાચવા જેવું છે, વંધ્ય (ઉપર) ભૂમિમાં બી વાવવા જેવું છે. જે બહેર માણસ સાંભળે, આંધળે જુએ અથવા ઉખર ભૂમિમાં અનાજ ઉગે તો જ એવા પ્રાણીને આપેલ ધર્મદેશનાને ફળ બેસે. અને ભાઈ ! કદાચ માનીએ કે તારા બહુ પ્રયાસથી એને બહુ થોડો સહેજસાજ લાભ થાય અથવા એના સંસ્કારમાં લાભ હાની સહજ ફેર પડે તો તે લાભ બહુ જ શેડો તદ્દન ની તુલના. નજીવો તેમજ અલ્પકાલીન સમજો અને તારા જેવાને અભ્યાસ વિગેરેનું મોટું નુકસાન થાય એ ચોક્કસ સમજવું. વળી એક બીજી પણ વાત છે તું એને વારંવાર બોધ આપ્યા કર, જાગૃત કર્યા કર, પ્રેરણા કર્યા કરે, પરંતુ જ્યાં સુધી પેલા મહામહ અને પરિગ્રહ એની સમીપમાં પડ્યાપાથર્યા રહ્યા છે ત્યાં સુધી એ તે ભાવનિદ્રામાં ઉંધ્યા જ કરશે, એને ગમે તેટલે જગાડીશ પણ જાગશે જ નહિ. માટે વત્સ ! એની પાસે જવાથી સર્યું. સમજુ માણસે નુકસાન થાય તેવા કામમાં પડતા નથી, તે ધંધો કરતા નથી.” અકલંક–“ભગવદ્ ! આપશ્રીની વાત બરાબર છે. ત્યારે સાહેબ ! એ બાપડા ઘન વાહનને પેલા મહા અનર્થન કરનારા લુચાઓથી છૂટકારો ક્યારે થશે ?” વિદ્યા અને નિરીહતા, કેવિદાચાર્ય–તારા જેવો પ્રાણી ચારિત્રરાજના સેનાપતિ (સમ્યગ્દર્શન)ને તે સારી રીતે ઓળખે છે. એ સેનાપતિએ રાજરાજેશ્વર ચારિત્રધર્મની સાથે મળીને પિતાના વીર્યથી એક વિદ્યા નામની ૧ “ગાયન’ વધારે યોગ્ય શબદ લાગત. ૨ વંધ્ય. ઉષરઃ જે જમીનમાં બીજ વાવવાથી હૃગી શકે નહિ તેવી ભૂમિ. ૩ સમ્યગદર્શનઃ એના વર્ણન અને પરિચય માટે જીઓ પ્ર. ૪. p. ૩૬. ૪ વિધાઃ આની સાથે મેહરાજની ગાત્રયષ્ટિ અવિધાને સરખા (પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૧૦ અને પ્ર. ૪. પ્ર. ૧૦ પૃ. ૮૩૮). મહામહનું આખું શરીર અવિદ્યામય છે. તેના વિરોધમાં આ વિદ્યા કન્યા આવી. એને ઉત્પન્ન કરનાર કોણ છે તે લક્ષમાં રાખશો. ઉ૫ર ઉપરનું ત્રસ્તુજ્ઞાન (વિષય પ્રતિભાસ જ્ઞાન) એ કાંઈ વિદ્યા નથી, એને સમ્યગુદર્શન અને ચારિત્રરાજ ઉત્પન્ન કરે ત્યારે જ એ સાચું જ્ઞાન થાય છે. જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy