SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ અગ્રગામી સાગર અને માયા, હેન કૃપણતાનું તત્ર સહગામીત્વ, મહાપરિગ્રહની મદદે મોટો મોહ પરિવાર, યુક્તિથી મુનિ અકલંકને દૂર કરવાનું કાર્ય, અકલંકમુનિના પરિચયથી મહામહ અને પરિગ્રહના હાલ થયા હતા તે ઉપર જણાવ્યા. હવે એ પરિગ્રહને એક બહલિકા. સાગર નામનો મિત્ર છે. એ મહામહનો ખાસ અંગરક્ષક છે અને જાતે બહુ સમર્થ છે. પરિગ્રહ જાળ નામના પિતાના મિત્રની જે દશા થઈ તેથી પિતાનાં હૃદયમાં દુઃખી થઈને એ મારી પાસે આવવા તૈયાર થયે. એને વિચાર થયે કે - તાના મિત્રની સહાય કરવા આ અવસરે જવાની જરૂર છે. મારી પાસે આવ્યા અગાઉ એણે રાગકેસરિને પૂછયું. રાગકેસરિએ એને પરિગ્રહની મદદે જવા રજા આપી. જે વખતે સાગરે જવાની રજા માગી તે વખતે ત્યાં બહુલિકા હાજર હતી. તેણે તે વખતે પિતા રાગકેસરિને કહ્યું “પિતાજી! જ્યાં સાગર જાય ત્યાં મારે તો જરૂર જવું જ જોઈએ; કારણ કે આપશ્રીને એ તે ખાસ ખબર છે કે ભાઈ સાગર મારા વગર એક ક્ષણવાર પણ રહી શકતા નથી.” બહુલિકાની એવી માગણી સાંભળી પિતા રાગકેસરિએ વિચાર કરીને જવાબ આપ્યો “દીકરી! એમ છે તો તું કૃપણુતા. પણ સાથે જા. વળી એક બીજી પણ વાત છે. આ કપણતા છે તે તો સાગરનું શરીર જ બની રહેલી છે, એનું જાણે એ જીવતર જ હોય તેવી છે. તે પછી તું સાગર સાથે જવાની છે તો પછી એ કપણુતા પણ ભલે સાથે આવે. એથી સાગરને ઘણું ધીરજ રહેશે. ૧ સાગરક લેભ. છઠ્ઠા પ્રસ્તાવનો ધનશેખર( સંસારજીવ)ને બહેકાવનાર વિખ્યાત પાત્ર. આ તે જ પાત્ર છે (જુઓ પ્ર. ૬ ક. ૧ અને ૨.) - ૨ બહુલિકા માયા. પાંચમા પ્રસ્તાવની જાણીતી સ્ત્રી પાત્ર. જુઓ પણ ૧૧૪-૪૫. ૩ કૃપણુતાઃ બખીલપણું. જ્યાં લોભ હોય ત્યાં એ સાથે જ હોય છે. કૃપણ તાનું ખરું સ્થાન છઠ્ઠા પ્રસ્તાવમાં ધટે, ગ્રંથકર્તાએ કોઈ કારણસર એને આ પ્રસ્તાવમાં મૂકી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy