SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ, ૧૭૮ટ આવી રીતે બહેન બહુલિકા અને કપણુતા બેને સાથે મોકલવાની આજ્ઞા થઈ એટલે સાગર તે બહુ રાજી થઈ ગયો, પિતાને જવાબમાં માત્ર “બહુ કૃપા કરી” એટલું જ કહ્યું અને સાગર પિતાની સાથે બહુલિકા અને કૃપણુતાને લઈને મારી પાસે આવ્યું. એ ત્રણેને મારી પાસે આવતા જોઈને મહામહ અને પરિગ્રહ બહુ રાજી થયા. તે જ વખતે કૃપણુતા મને ભેટી પરિણામો. પડી. એ જેવી મને ભેટી કે મારા મનમાં ઈચ્છા થઈ કે અરે! આ મારી પાસે પૈસા છે તે તો નજરે દેખી શકાય તેવાં સુખનું કારણ છે, તેનાથી સુખ મેળવવાનાં સાધન ખરીદ કરી શકાય છે, એકઠાં કરી શકાય છે, ભોગવી શકાય છે; એવા પૈસાનો પરલોકનાં સુખનાં સાધનો મેળવવાની ઈચ્છા વડે વ્યય કરી નાખવો એમાં તે ડહાપણું શું કહેવાય? પૈસાથી અહીંનાં સુખોને લાભ લેવો કે પરલોકનાં સુખની કલ્પના કરી તે ખાતર તેનો વ્યય કરી નાખવો? આવી રીત નજરે દેખાય તેવાં સુખસાધનનો ત્યાગ કરી અદષ્ટ અને કલ્પનામાત્રમાં રહેલાં સાધનોમાં પૈસા ઉડાડી નાખવાને હેતુ ? પખ આ અકલંક મુનિ તો મને દરરોજ પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરે છે અને કહે છે કે “ભાઈ ઘનવાહન ! જે તારે ભાવસ્તવ કરવાના ઉત્સાહ દેવ, ભવિષ્યમાં તારે તે માર્ગે પ્રગતિ કરવી હોય તે અત્યારે તું વ્યસ્ત કરવામાં સારી રીતે આદર કર, તેના ઉપર તારું ચિત્ત લગાડ, તે મા પ્રવૃત્ત થા. ધીમે ધીમે તે ભાવસ્તવમાં તે માર્ગે આગળ વધીશ.” આવાં આવાં ઉત્સાહનાં વચનો કહે છે તેથી તે રીતે દ્રવ્યસ્તવમાં મારા બહુ પૈસા ખરચાઈ જાય છે, વપરાઈ જાય છે, વેડફાઈ જાય છે. ત્યારે હવે મારે તે શું કરવું? આ તો ભારે મોટી મુંઝવણ થઈ પડી. આવા આવા વિચાર હું કરતો હતો તે વખતે બહુલિકાએ મને આલિંગન કર્યું, મને ભેટી પડી. જેવી બાલિકા મને ભેટી તેવીજ મારામાં એક અત્યંત ખરાબ ૧ દ્રયસ્તવ, ભાવસ્તવઃ દ્રવ્યસ્તવમાં પૂર સત્ર યાત્રા મહોત્સવાદિને સમાવેશ થાય છે. તે ભાવસ્તવનું નિમિત્ત છે અને નિમિત્ત પૂરતી જ તેની ઉપયુક્યતા છે. સંસારરસિયા જીવો પ્રથમ દ્રવ્યસ્તવમાં પડે છે, પછી વિચારણાને ૫રિણામે ભાવસ્તવમાં નડાય છે. ભાવસ્તવમાં અંતઃકરણની ઇચ્છાથી ત્યાગ, આત્મભાવમાં રમતા, સમતા અને વિકારો પર અરૂચિનો સમાવેશ થાય છે. દ્રવ્યસ્તવમાં ધનવ્યય, દાન, દેવગુરૂપૂજન, સદાચાર, તપ, મોક્ષદ્વેષ વિગેરેનો સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy