SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ. ૧૭૮૧ ત્યારે તો ભલે તું ચાલ્યું જા. માત્ર તારે ખબરદારી રાખવી, સાવધ રહેવું, તારો અને અમારે યોગ વળી આગળ ઉપર થઈ આવશે.” શક–“જે મહારાજા સાહેબને હુકમ !” એ પ્રમાણે કહીને શેક ત્યાંથી વિદાય થયે. મેં પણ અકલંક મુનિનાં વચનને આદર કર્યો, સદાગમની તરફ પ્રેમ બતાવ્યું, છેડે થે મહામહ અને પરિગ્રહ દ્રવ્યાચાર તરફ તિરસ્કાર બતાવ્યું, અગાઉ જે ભણેલે હતો તેને થોડું થોડું તાજું કર્યું, નવીન શાસ્ત્ર ભણવાને અંગે આદર કર્યો, કેટલાંક જિનમંદિરો અને પ્રતિમાઓ નવાં કરાવ્યાં, કેટલીક યાત્રાઓ કરી, સ્નાત્ર મહોત્સવ કર્યો, પાત્રોને દાન આપ્યાં. આ પ્રમાણે કેટલીક શુભ ક્રિયાઓ મેં કરી તે જોઈને અકલંકમુનિને પિતાના મનમાં સંતોષ થયો કે હવે તેમણે મને ગુણવાન બનાવ્યું છે, મને ગુણભાજન કર્યો છે, રસ્તા ઉપર આપે છે. પ્રકરણ ૧૪ મું. મહાપરિગ્રહ, ETTER અ કલંક મુનિના સદુપદેશથી કેટલેક બાહ્ય આચાર મેં (સંસારીજીવે ઘનવાહને) પાળ્યો અને તેને લઈને દાન યાત્રા મહોત્સવાદિ કાર્યો કર્યા અને તે દ્વારા મુનિરાજને તૈષ આપવાને હું શક્તિમાન્ થયે. હવે તે વખતે જ એક તદ્દન નવીન ઘટના બની તે ખાસ સાંભળવા ગ્ય છે. ભદ્ર અગૃહીતસંકેતા! તું લક્ષ્ય રાખીને એ હકીકત સાંભળઃ– (સંસારીજીવ જે અત્યારે ઘનવાહનના નામથી પ્રસિદ્ધ થયેલ છે તે તે ભવસંબંધી પોતાની જીવનચર્યા અગૃહીતસંકેતા અને પ્રણાવિશાળા સાંભળે તેમ ભવ્યપુરૂષની હાજરીમાં સદાગમ સમક્ષ કહે છે, તે વાત લક્ષ્યમાં રાખવી, સંસારીજીવ પોતાની વાર્તા આગળ ચલાવે છે.) ૧ એમ જણાય છે કે મેહરાયે આ વચનમાં શોકદ્વારા કોઇ ગુપ્ત સંદેશ મક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy