SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ છે હવે તેના વડે તારા આત્માને હમેશને માટે આનંદ આપનાર શિવ“લય નામના મઠમાં શા માટે મૂકી આપતા નથી? અને મહારાજ! સંસારમાં રહેનાર પ્રાણીઓને આફતો તો હાથની અંદર આવી રહેલી છે, વાતવાતમાં લાગુ પડી જાય તેમ છે; તેવી જ રીતે પોતાના પ્રિય “જનોના વિરહ તદ્દન સુલભ છે, સુરતમાં બની જાય તેવા છે; મેટા વ્યાધિઓ તો જરા પણ દૂર નથી, હાલતાં ચાલતાં લાગુ પડી જાય તેમ છે; દુઃખો તો તદ્દન બાજુમાં જ આવી પડેલાં છે, જરા જરામાં “તદ્દન નજીક આવી વળગી પડે તેવી સ્થિતિમાં છે; અને મરણ તે ચોક્કસ થવાનાં જ છે, જરૂર આવી પડનાર છે-આ પ્રમાણે હોવાથી “શુદ્ધ વિવેક એ જ પ્રાણીઓનું ખરેખરું રક્ષણ છે, એ જ ખરેખર આધાર છે અને બીજો કોઈ પણ સાચો ટેકે નથી.” બહેન અગૃહીતસંકેતા! જેમ એક મનુષ્ય બહુ આકરી નિદ્રામાં ઉંઘી ગયો હોય તેને બૂમ મારી મારીને કેઈ જાગૃત શુદ્ધિ આવી. કરે, અથવા ઝેરની અસર થવાથી કોઈ પ્રાણી ઝેલાં ખાતો હોય તેને જેમ આકરા મંત્રોનો જાપ ઠેકાણે લઈ આવે, અથવા તે દારૂના ઘેનમાં કઈ પ્રાણી મસ્ત થયા હોય તેને જેમ એકદમ બીક બતાવવાથી તે ઠેકાણે આવી જાય, અથવા તો કોઈ પ્રાણીને મૂર્છા આવી ગઈ હોય તેને જેમ શીતળ જળયુક્ત પંખો નાખીને પવન દ્વારા શુદ્ધિમાં લાવવામાં આવે અથવા તો કેઈને સનેપાતને ચાળે થઈ આવ્યા હોય તેને હશિયાર વૈદ્યની પદ્ધતિસર ચિકિત્સા કરવામાં આવે ત્યારે તેની ઉન્મત્તતા જેમ દૂર થાય તેવી રીતે અકલંક મુનિની ઉપર પ્રમાણેની વિશાળ સુંદર વચનપદ્ધતિથી મારામાં કાંઈક શુદ્ધિ આવી, હું જરા ઠેકાણે આવ્ય, મારી ચેતના જાગૃત થઈ. હવે તે વખતે શેક મહામહ પાસે ગયો, તેને નમે અને પછી તે બન્ને વચ્ચે નીચે પ્રમાણે ખાનગી વાતચીત થઈ – શક–“દેવ! હવે હું તે જાઉં છું! મને અકલંક અહીં રહેવા દત નથી, બેસવા દેતો નથી. એ તે બરાબર મારી પછવાડે પડ્યો છે મહામોહ–એ અકલંક તે બહુ આકરે છે, ઘણે વસમ માણસ છે. એ ઘનવાહનની સાથે મળી જઈને બાપડાને છેતરે છે, ઉધે રસ્તે દોરી જાય છે. આપણું પણ હવે શું થશે તેની અત્યારે તે કાંઈ ખબર પડતી નથી, કાંઈ વાત સમજમાં આવતી નથી. માટે અને ૧ સંરક્ષણના ઉપાય માટે જુઓ ચાલુ પ્રસ્તાવ પ્રકરણ ૮ મું ૫, ૧૭૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy