SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ છે અને જે ખાસ કરીને બીજાની આંખેને અત્યંત મનોહર લાગતા હોય છે તે સર્વ પ્રત્યે એ યમદેવ હીમના જળકણે જેવું કાર્ય કરે છે અને તેને સપાટામાં ઝાંખાં કરી નાખે છે. મનુષ્ય શરીરધારીને મેટાં મોટાં મંત્રયંત્ર મરણથી બચાવી શકતા નથી, તેના ધનના ઢગલા આડા આવી શકતા નથી, મેટા મોટા વૈદ્યોની તેને અંગે કારી ફાવતી નથી, રામબાણ ઓસડ જડીબુટ્ટીઓ કે માત્રાઓ તેનાથી રક્ષણ આપી શકતા નથી, ભાઈઓ છોડાવી શકતાં નથી અને મોટા દેવેંદ્રને હુકમ પણ તેને અંગે ચાલી શકતું નથી. આથી મરણ નામને ઉપદ્રવ એવા પ્રકારને છે કે એની સામે કેઈ ઉપાય કામે લાગી શકતો નથી અને સર્વને એ માર્ગે ચોક્કસ જવાનું છે, તો પછી એ સિદ્ધ માર્ગ કેઈને જતાં જોઈને કયો સમજુ ગભરાટમાં પડી જાય?” આવી રીતે અકલંક મુનિ મહારાજ મારે શોક દૂર કરાવવા અને મને શોકના સંબંધથી છોડાવવા થાક્યા વગર દરજ ધર્મદેશના આપ્યા કરતા હતા, જુદે જુદે પ્રકારે જીવનમરણના સંબંધ જણાવતા હતા અને મરણસંબંધી વિશિષ્ટ તત્વજ્ઞાનના રસનાં ઝરણું મારી આગળ ખાલી કરતા હતા. પરંતુ મહામહને તાબે થઈને હું તે શેકમિત્રની સાથે જ ચાલ્યો જતો હતો, તેને સંબંધ છોડતો નહોતે અને મહાત્મા અકલંકના વચનપર લક્ષ્ય આપતો નહોતો. હું વારંવાર આરડતો હતો કે “અરે બાળા ! અહો પ્રિયા ! અરે વહાલી ! અહો સુંદરિ! હા પ્રેમી! હા પદ્મનેત્રા! અરેરે ! સુંદર ભ્રમરેવાળી! હા કાંતા! હા સુંદરભાષિણી! હા પતિવત્સલા ! હા પતિ પ્રેમી! હા પતિવ્રતે! હા દેવિ! અહાહા મારી મદનસુંદરિ! અરેરે !! આ પ્રમાણે રડતાં ઘનવાહનને અહીં છોડી દઈને તું ક્યાં ચાલી ગઇ? અરેરે વહાલી ! તું મને તારું દર્શન કરાવ! આ રડતાં તારા વિરહી સાથે એક વાર જરા ભાષણ કર! વહાલી ! અહીં આવીને મારે શરીરે ભેટી પડ ! મારી આ અત્યંત ખરાબ સ્થિતિ તારી હાજરીથી દૂર કર !” હું તે અકલંક મહાત્માની પાસે પણ આવા આવા વાક્યો બોલ્યા કરતા, ઉગારે કાત્યા કરતો અને મહાત્મા મને વારંવાર ઉપદેશ આપતા તે જરા પણ જાણી શકતો નહોતો. અકલંકનો સદુપદેશ, ઉપદેશથી સચેતનતા, શેકનું દૂર ગમન, મહાત્મા અકલંક મુનિ આ સર્વ જોયા કરતા હતા, મેહનું સા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy