SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨] શ્રુતિ. વિદ અને બાલિશ. ૧૭૮૩ હવે બન્ને જોડલાંઓએ એક બીજાની હરીફાઈમાં ગાયન ગાવા માંડ્યાં, અત્યંત સુંદર મધુર વિનિથી રાગ આલાપ લલકારવા માંડયા અને એકનું ગાન પૂરું થાય કે એથી વધારે સુંદર આલાપ સાથે બીજું જોડલું ગાન ઉપાડે એવી હરીફાઈ આદરી. એક બીજાની ઇર્ષાથી અતિ સુંદર આલાપ સાથે ગાન ચાલવા માંડ્યું અને પરીક્ષકે તે હકીકત લક્ષ્યપૂર્વક સાંભળવા લાગ્યા. તે વખતે પેલા કેવિદ અને બાલિશ પણ તે શિખર૫ર આવી પહોંચ્યા અને ગુફાની અંદરથી આવતાં આલાપ સંલાપ અને ગાન સાંભળી સાવધાન બની ગયા. તે વખતે બાલિશે એક જબરી ભૂલ કરી નાખી. એ દુરાત્માએ અંદર રહેલા સંગની પ્રેરણાથી શ્રુતિને પેલી ગુફાના બારણું ઉપર ગોઠવી દીધી અને તે પણ અંદર રહેલા નેકર સંગની પ્રેરણાથી સાંભળવા તત્પર થઈ ગઈ. બાલિશ પોતે પોતાનું સર્વસ્વ શ્રુતિને અર્પણ કર્યું જ હતું અને લગભગ તે વખતે તે એ શ્રુતિમાં તદ્રપ થઈ ગયો અને તેના રસમાં એ તો લીન થઈ ગયું કે બીજું કાંઈ જાણે જેતે કે જાણતા જ ન હોય એવી તેની સ્થિતિ થઈ ગઈ. તે વખતે સંગે તેના ઉપર પિતાની શક્તિ ખરેખરી અજમાવી અને તેને એવો તે ભાન વિનાનો બનાવી દીધો કે એ (બાલિશ) પથ્થરની શિલા માફક ઝટ દઈને ગુફામાં પડ્યો. એ બાલિશન પડવા સાથે ગુફામાં મેટો ધડાકે થયો, પડવાના અવાજથી સર્વ દેવો અને ગાંધર્વો ચોંકી ગયા, તેઓના રંગમાં ભંગ પડ્યો અને સર્વ એકદમ બાલિશ ઉપર ગુસ્સે થઈ ગયા. તેઓ એકી સાથે બોલી ઉઠ્યા, “અરે! વળી આ કેણું છે? કેણુ છે. એને પકડે, પકડે !” આમ બોલતાં તેઓએ બાલિશને સખ્ત બંધે બાં, પછી ખૂબ ફટકાવ્યો અને અનેક પ્રકારના લાતો અને પગના પ્રહારથી ખૂબ માર્યો. સખ્ત વેદના સહન કરી તે મરણ પામે. સદાગ મને સદુપદેશ. કેવિદ તેથી સાધુ થયો. છેવટે આચાર્ય પદે આવ્યો, સદાગમના ઉપદેશથી કેવિદે સંગનો સર્વથા ત્યાગ કર્યો અને તેથી તે ગીત ગાયન ચાલતાં હોય ત્યારે શ્રુતિ સાથે હોય, પોતે સાંભળતા હોય તે પણ તેના ઉપર કદિ મૂછ પામતે નહિ, તેમાં આસક્ત થતો નહિ, તેમાં કદિ એકરૂપતા ધારણ કરતા નહિ. બાલિશને અનેક પાદપ્રહારથી હતા અને જમીન પર પડેલે જઈને એ ગિરિના શિખર પરથી કેવિદ નીચે ઉતરી ગયો અને તુરત જ એક અતિ વિદ્વાન અને સારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy