SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા [ પ્રસ્તાવ છ. જીમૂતરાજ મરણ, ઘનવાહનને રાજ્ય, અને પરિગ્રહાસક્તિ, હવે તે વખતે મારા પિતાશ્રી અમૃતરાજા ભરણ પામ્યા. તે વખતે મારા ભાયાતો મંત્રી અને સેનાપતિએ મને ગાદી ઉપર બેસાડ્યો, મારા સર્વ સામંત રાજાઓએ મારી આજ્ઞા સ્વીકારી, મારા શત્રુઓ મારા નોકર થઈ ગયા અને અનેક વિભૂતિઓથી ભરેલું રાજ્ય અને તે વખતે પ્રાપ્ત થયું. મને આવું સુંદર રાજ્ય પ્રાપ્ત થયું અને મારી આજ્ઞા ચારે તરફ વિસ્તરી તેનું વાસ્તવિક આંતર કારણ મારી સાથે પુણ્યદય મિત્ર હતા, પરંતુ મહામહના સ્નેહમાં મગ્ન થયેલા મેં તેને તે વખતે બરાબર ઓળખ્યો નહિ અને એ બધે પ્રતાપ પરિગ્રહમિત્રને જાયે, ત્રણની જુદી જુદી શિક્ષા. સરખાવવા યોગ્ય જીવન પ્રસંગે, માનસિક પરિવર્તન વખતે સ્થિતિએ. સદાગમની શિક્ષા - હવે તે વખતે શરીર, વિષ, રાજ્ય અને ચિત્રવિચિત્ર પ્રકારની વિભૂતિઓ (દોલત-સંપત્તિ) જે પૌગલિક (material) પદાર્થો હતા તે સર્વ ઉપર ચિત્તનું ખેંચાણ થયા કરતું હતું. સદાગમ તે વખતે મને તે સર્વ વસ્તુઓના સંબંધમાં કહેતે હેતે કે “ભાઈ ઘનવાહન! એ સર્વ વસ્તુઓ-શરીર વિષય રાજ્ય અને વિભૂતિઓ-ક્ષણભંગુર છે, શેડો વખત ટકનારી છે, દુઃખથી ભરપૂર છે, મલીન છે, તારા સ્વભાવથી વિપરીત છે, બહાર સંચાર કરનારી છે-માટે હે ભાઈ! તું એના ઉપર મૂછ કર નહિ, કર નહિ !! તારો આત્મા જ્ઞાન દર્શન સદ્વર્ય અને આનંદથી ભરપૂર છે, તે આનંદ સ્થિર છે, ચાખે છે, સ્વાભાવિક છે અને આંતર સંચાર કરનાર છે, માટે હે નરોત્તમ! તારે એના તરફ ખેંચાણ કરવું યોગ્ય છે, જેથી નિરંતરના આનંદનું સ્થાન નિવૃતિને તું પામી જા.” મહામહની શિક્ષા. મહામોહ મને તે જ વખતે જણાવતો હતો કે એ મારું રાજ્ય, એ મારી સંપત્તિઓ, એ મારું શરીર અને મારા શબ્દ વિગેરે દ્વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy