SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવહ રહ્યો છે અને એનાથી જ્ઞાનસંવરણ રાજા ત્રાસ પામી રહ્યો છે. વળી એ સદાગમ આપસાહેબને કટ્ટો વિરોધી છે તેથી આ બાબત નજર તળે કાઢી નાખવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી નથી. ડાહ્યો માણસ જે વસ્તુ નથી છેદી શકાય તેવી હોય તેને કુહાડાથી છેદવી પડે તેવી થવા દેતો નથી, તેવી બાબતને તે મૂળમાંથી ડાભી દે છે." વિષયાભિલાષ અમાત્યનાં આવાં વચન સાંભળીને મહારાજાની આખી સભાને સદાગમ ઉપર ઘણે રોષ ઉભરાઈ આવ્યો અને આખા સભાસ્થાનમાં ખળભળાટ થઈ રહ્યો. બધા યોદ્ધાઓ એકદમ ભવાં ચઢાવી હકારા કરવા માંડયા, હેઠે કરડવા લાગ્યા અને જમીન પર પગ પછાડવા લાગ્યા અને મુખેથી બોલવા લાગ્યા કે “દેવ! અમને હુકમ આપે, અમે એ પાપી સદાગમને હણી નાખીએ.” દરેક દ્ધો આવી રીતે એકી સાથે બોલવા લાગ્યો તેથી સભાસ્થાનમાં મોટો ગડબડાટ થઈ ગયે. મહામહ રાજા પોતે આ સર્વ ગડબડાટ અને પરિસ્થિતિ જોઈને બોલ્યા “મારા બહાદુર યોદ્ધાઓ! તમે સર્વે જેમ કહે છે તેમ કરે તેવા છે તેમાં જરા પણ શંકા જેવું નથી, પરંતુ એ મહાપાપી સદાગમે સંસારીજીવ પાસે ખાસ મેં મોકલેલા આપણું સંબંધી જ્ઞાનસંવરણ રાજાનું આટલું બધું અપમાન કર્યું છે તેથી એ હરામખોર દુરાત્માને મારે જાતે જ હણો છે. વળી મારા ધાઓ! હું તમારા સમુદાય રૂપ જ છું તેથી જે હું તેને હણું તે તેને હણવાનું માન તમને જ સર્વને ઘટે છે. આ પ્રમાણે હોવાથી એને હણવા હું જઉ તો વાસ્તવિક રીતે તમે જ ગયા છો, કારણ કે તમારે સર્વને સમુદાય તે જ હું છું, મારામાં તમે સર્વ આવી જાઓ છો; માટે મારા વત્સ! તમે સર્વ અહીં રહે; એ સદાગમ પાપીને નાશ કરવા હું જ જઉં છું. તમે સર્વ સ્વામી (મારી) તરફ પ્રેમ રાખનારા છો તેથી જ્યારે જ્યારે તમારામાંના કેઈને ખપ પડે ત્યારે ત્યારે તુરત સાવધાન રહેજો અને યથાવસર જરૂર પડે ત્યારે વચ્ચે વચ્ચે તમારું કામ બજાવી લેજે.” ૧ આ એક નીતિ છે. પ્રથમ બાબત નાની હોય છે ત્યારે તેને સહેજે દાબી શકાય છે. વાત વધી પડે પછી આકરું કામ બની જાય છે; સમજુ માણસ તેટલા માટે નુકસાન કરનારી બાબતને શરૂઆતથી દાબી દે છે. બાબત નાની હોય, શરૂઆતની હોય, ત્યારે નખે તેને છેદી કે ઉખેડી શકાય છે, તે જ વાત વધી પડે ત્યારે કહાદાને ખ૫ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy