SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ १७७० ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રતાવ ૭ અકલંકને મેં તે વખતે પૂછયું કે “એ સદાગમ કેણું છે ?? એના જવાબમાં અકલેકે મને જણાવ્યું કે “ભાઈ ઘનવાહન! એ મહાત્મા સદાગમ સાધુ પુરૂષોને પણ આરાધના કરવા યોગ્ય છે. એ સદાગમાં મહાત્મા જે હુકમ ફરમાવે તેને વિનયપૂર્વક આ સર્વ સાધુઓ ઉપાડી લે છે અને એ સદગમની મહત્તા શી છે તે ગુરૂમહારાજ બહુ સારી રીતે જાણે છે. એ સદાગમ ધર્મ અને અધર્મનું બરાબર વિવેચન કરૂ નાર હોવાથી તે તને ઘણું હિત કરનાર છે, માટે યોગ્ય ઉપદેશ મેળવવા ખાતર તારે એની ઓળખાણ કરવી જરૂરી છે. મને પિતાને, આ સર્વ સાધુઓને અને ગુરૂમહારાજ(કેવિદાચાર્ય)ને જે જ્ઞાન થયેલું છે, વસ્તુ સ્વરૂપ સમજાયું છે, તે સર્વે આ સદાગમમહાત્મા પાસેથી જ મળેલું છે. આ પ્રમાણે હકીકત હોવાથી આ કેવિદાચાર્ય એ હિતકારી સદગમ સાથે તારો સંબંધ સારી રીતે જોડી આપશે. એની સાથે તારો સંબંધ જોડાશે એટલે પછી તારા પિતાના આત્માને લાભ ક્યાં છે અને નુકસાન ક્યાં છે, હિત અહિત કેમ ક્યાંથી અને શા માટે થાય છે એ સર્વ તું અનુક્રમે જાણી શકીશ, માટે તું એ સદાગમનો આશ્રય કર.” મારા મિત્રના આગ્રહથી અને કાંઈક અંતરાત્માના સંતોષથી પણ વિશેષે કરીને મારા મિત્રને રાજી કરવા મેં તે વખતે સદાગમને આ દર્યો, સદારામ સાથે સંબંધ જોડ્યો. સદગમના કેટલાક ગુણ તે વખતે મને કેવિદસૂરિએ બતાવ્યા અને તેનું વિજ્ઞાન પણ દર્શાવ્યું, પણ મને તે ઉપર બરાબર શ્રદ્ધા થઈ નહિ. માત્ર અકલંકના આગ્રહથી અને તેને ખુશ કરવા સારૂં હું ચૈત્યવંદન કરૂં, સાધુઓને દાન આપું અને એવાં એવાં કાર્યો કરું, પણ મારા અંતરમાં બિલકુલ ભાવ ઉત્પન્ન થયેલા ન હતા. ભાવશૂન્ય ચિત્ત ઉપર ઉપરથી આ સર્વ કાર્યો હું તે વખતે કરવા લાગ્યો. વળી અકલકના કહેવાથી હું “નવકાર” વિગેરેને પાઠ પણ કરવા લાગ્યો. એ સર્વ કાર્યોમાં મારું મન ન હતું, પણ અકલકના અનુરોધથી સર્વ કરતો હતો. - ત્યાર પછી માતપિતાની રજા લઈને અકલકે તુરતમાં જ ગુરૂ કેવિદાચાર્ય પાસે દીક્ષા લીધી અને ગુરૂમહારાજ સાથે અન્ય સ્થળે વિહાર કર્યો. ૧ નવકારઃ નમસ્કાર. નમો અરિહંતાણું વિગેરે. જૈનને પ્રથમ સંસ્કાર. ૨ આ દ્રવ્ય અનુષ્ઠાન થયાં. ભાવ અનુષ્ઠાનને હજુ અવસર થયો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy